________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ર
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ પણ આવતો નથી. એ અભાવને જે કારણ કહ્યું તે પણ ભૂતનૈગમનયે કહ્યું છે.
પરમાત્મપ્રકાશમાં ગુરુએ કહ્યું કે-વ્યવહાર કારણ અને નિશ્ચયકાર્ય થાય છે. આ પરમાત્મપ્રકાશ યોગીન્દુદેવનું શાસ્ત્ર છે અને તેની ટીકા બ્રહ્મદેવે કરી છે. તેનું હિન્દી દૌલતરામજીએ કર્યું છે. અને હુમણાં તે ગુજરાતી થયું છે. એક ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે-વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય છે. તે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે.
આ પ્રશ્ન આચાર્યદવે પોતે ઊઠાવ્યો છે. શિષ્ય કહે છે-હે ભગવાન! તમે વ્યવહારને કારણ અને નિશ્ચયને કાર્ય કહ્યું તો જ્યારે નિશ્ચય નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા આવે છે ત્યારે તો વ્યવહાર હોતો નથી અને તમે તેને કેમ કારણ કહ્યું? તો કહે છે–અમે તેને ભૂતનૈગમનયે કારણ કહ્યું છે. કેમકે એ વખતે તેની હાજરી હોતી નથી. પરંતુ નિશ્ચય પ્રગટયો તે પહેલાં હતું એટલે ભૂતનૈગમનયે કારણ કહ્યું.. પણ ખરેખર તે કારણ નથી. આવો ઊંડો ઉતરે ત્યારે હજુ વ્યવહારનો પક્ષ છૂટે અને નિશ્ચયના પક્ષમાં આવે. નિશ્ચયનો પક્ષ છૂટે પછી અનુભવ થાય. માર્ગ બહુ કાપવો પડશે અંદરમાં હોં! કેમકે બુદ્ધિ બહુ દૂર ચાલી ગઈ છે. એ હજુ તો નિમિત્તની ભાવનામાં પડયો છે.
આહા... હા ! હજુ તો ચોવીસે કલાક પરની ભાવનામાં પડ્યો છે. મુંબઈમાં એનું જોર વધારે દેખાય છે. આહા! સાત પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન હોય તો પણ ચોવીસ કલાક ગધામજૂરીમાં પડ્યો છે. નિમિત્તની ભાવનામાં પડ્યો છે. અવગતિયો છે. શ્રીમજી કહે છે કે-અરે ! ભવ્ય આત્મા ! તને જો આજીવિકાનું સાધન થઈ ગયું હોય તો બસ કરજે. સંતોષ રાખજે ! એ સંતોષનો ઉપયોગ પણ નિવૃત્તિ લઈ અને તારા આત્માની પ્રાપ્તિમાં એ કાળ લગાવજે.. તો તને આત્માની પ્રાપ્તિ થશે. આહા! શ્રીમદ્જીના શબ્દો વિચારવા જેવા છે હોં !
આહા ! એ મૂડીને વ્યાજે ન મૂકે અને એ મૂડીને જ વાપરે તો પણ એ મૂડી ખૂટે તેમ નથી. પેલાભાઈ કહેતા હતા કે આપણે મૂડીનું વ્યાજ શું કામ ગણીએ ! આપણી મૂડી હોય અને આપણે સો વરસ જીવીએ તો પણ મૂડી ખૂટે નહીં. એટલી મૂડી હોય તો પણ તેને સત્કાર્ય સુઝતું નથી. જે બધા દુષ્કૃત્યો છે તેમાં પડ્યો છે. ચોવીસે કલાક નિમિત્તની ભાવનામાં પડ્યો છે. આહા ! નિમિત્તની ભાવનાવાળાને શુદ્ધાત્માની ભાવના થઈ શકતી નથી. તેથી નિમિત્તની ભાવનાનો શ્રદ્ધામાંથી ત્યાગ કરવો પડશે.
ભાવના બે પ્રકારે છે. (૧) શ્રદ્ધા અપેક્ષાએ ભાવના (૨) ચારિત્ર અપેક્ષાએ ભાવના. અત્યારે શ્રદ્ધા અપેક્ષાએ જે ભાવના છે તેની વાત ચાલે છે. આચરણ બે પ્રકારના (૧) શ્રદ્ધાનું આચરણ અને એક ચારિત્રનું આચરણ. પરંતુ જગતને શ્રદ્ધાના આચરણની કાંઈ કિંમત નથી. તેને ચારિત્રના આચરણની કિંમત છે. ચારિત્રના આચરણમાં પણ વ્યવહારચારિત્રની કિંમત કરે છે તે નિશ્ચય ચારિત્રને તો સમજતો
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk