SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૮૧ ભાવની ભાવના છોડ અને શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડરૂપ અગિયાર અંગનું જ્ઞાન કે જે ઇન્દ્રિયજ્ઞાન છે તેની ભાવના છોડ અને સમ્યગ્દર્શનની ભાવના પણ છોડ! ત્યારે તને શુદ્ધાત્માની ભાવના પ્રગટ થશે. પછી અલ્પકાળમાં મોક્ષ થયા વિના રહેશે નહીં. શુદ્ધાત્માની ભાવના ભાવતાં તેને સમ્યગ્દર્શન થાય છે.. અને એની જ ભાવનામાં તેને ચારિત્ર પ્રગટ થાય છે. અને એની જ ભાવનામાં ચારિત્ર વૃદ્ધિગત્ થાય છે. અને એની જ ભાવના ભાવતાં જીવની મોક્ષ દશા પ્રગટ થાય છે. આદિ, મધ્ય, અંતમાં એક શુદ્ધાત્માની ભાવના ભાવવા જેવી છે. અનેકની ભાવના ભાવવા જેવી નથી. પર્યાયની ભાવના કરવા જેવી નથી. હજુ તો ચોવીસે ક્લાક નિમિત્તની ભાવનામાં પડયો છે. એ અનુમાનજ્ઞાનમાં, ઇન્દ્રિયજ્ઞાનથી પણ હજુ આત્માની ભાવના ભાવતો નથી. સમજાણું ? શું કહ્યું ? હવે પાંચ ઇન્દ્રિયના વ્યાપારને રોકીને.., પાંચ ઇન્દ્રિયોનો વિષય સ્થૂળ રૂપી પદાર્થ છે તેને રોકીને પહેલાં મનવડે તો આત્માની ભાવના ભાવ ભાવમનમાં તો આત્માનું સ્મરણ કર. ભાવમન વડે આત્મા આવો છે તેમ નિર્ણય કર ! ભાવમનથી તો આત્માની ભક્તિ કર કે–હું આવો જ છું અને આ ભાવના કરતા મારો મોક્ષ થશે એમ મનમાં તો લાવ અને મનમાં તો નિમિત્તની ભાવના છોડ! હવે મનમાંથી તો ભેદની પર્યાયની ભાવના છોડ! મનમાં તો ત્રિકાળીની ભાવના ભાવ તો મન મરી જશે અને શુદ્ધાત્માની ભાવના થઈ નિર્વિકલ્પ આત્માનો અનુભવ થશે. પ્રશ્ન:- અભાવ કારણ થયું ને ? ઉત્ત૨:- એ ભૂત નૈગમનયે કા૨ણ થયું. કેમકે જ્યારે અતીન્દ્રિયજ્ઞાનથી શુદ્ધાત્માની ભાવના ભાવે છે ત્યારે ભાવમનનો અભાવ થઈ જાય છે. એ વખતે ભાવમન રહેતું નથી. એ અભાવને વ્યવહારે–ભૂતનૈગમનયે કા૨ણ પણ કહેવામાં આવે, એ પણ ભૂતનૈગમનયે. નિર્વિકલ્પ નિશ્ચયનય પ્રગટ થાય છે ત્યારે સવિકલ્પ નિશ્ચયનય અથવા વ્યવહારનય હોતી નથી. એ વ્યવહારનયનો તો અભાવ થઈને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થયું ત્યારે વ્યવહારનયનો સદ્ભાવ હોતો નથી. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કા૨ણ કહ્યું હોય તો તેને ભૂતનૈગમનયે કારણ કહેવામાં આવે છે. કેમકે જ્યાં સુધી વ્યવહા૨નો સદ્ભાવ છે ત્યાં સુધી નિશ્ચય પ્રગટ થતો નથી. આ રીતે શુભભાવને પણ પરંપરાએ કારણ કહ્યો છે. આ બધા ભૂતનૈગમનયના કથનો છે. ઋજુસૂત્રનયના થન નથી. શુભભાવરૂપનો વ્યવહા૨ તારો ઉભો રહે અને તને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય તેમ ત્રણકાળમાં બનવાનું નથી. બીજું ભાવમન જીવતું રહે અને આત્માનો અનુભવ થાય એમ પણ બનવાનું નથી. વ્યવહારે આમ થયું કહેવાય તેમાં અભાવને કારણ કહેવાય. અભાવ કારણ એટલે કારણ નહીં. તેને ઉપચારથી કારણ કહ્યું અને એ પણ એનો અભાવ થાય ત્યારે કા૨ણ કહેવાય. એનો સદ્ભાવ હોય ત્યારે કારણનો ઉપચાર Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy