SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ શ્લોક – ૩૪ ભાવાર્થ:-જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો ૫૨વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મુહૂર્તમાત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪. શ્લોક - ૩૪ ઉ૫૨ પ્રવચન હે ભવ્ય જીવ, તને બીજો અકાર્ય કોલાહલ કરવાથી, તે અકાર્ય છે, વિકલ્પ આદિ કાર્ય તારું નથી પ્રભુ, એ મિથ્યાત્વના પરિણામ એ તારું કાર્ય નથી. અકાર્ય કોલાલ તા૨ા કાર્યથી પ્રભુ એ અકાર્યનો કોલાહલ છે. પ્રેમથી એને કહે છે, પ્રભુ તું ચૈતન્યમૂર્તિ છો ને નાથ. આનંદનો નાથ પ્રભુ તું છો અંદર, એ આ પુણ્ય ને પાપના ભાવને તારા માનો છો, એ અકાર્ય છે, એ તારું કાર્ય નથી. ‘અકાર્ય કોલાહલેન’ એ અકાર્યના કોલાહલથી બસ થાવ, બસ થાવ. આહાહા ! સમજાય છે કાંઈ ? ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો ૨સકંદ છે. પ્રભુ તું એને આ રાગવાળો ને પુણ્યવાળો માને છો. પ્રભુ તું શું કરે છે આ. એ અકાર્યના કોલાહલમાં ક્યાં પડયો તું. અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદનો નાથ આત્મા છે ને ભાઈ ! એને આ દયા, દાન, વ્રત ભકિતના પરિણામ પુણ્યના વિકારના એ મારા માનીને એ પ્રભુએ અકાર્ય કોલાહલ એ કાર્ય તારું નહિ એ કોલાહલમાં ગરી ગયો છો તું. સમજાણું કાંઈ ? આવી વાત છે. છે? અકાર્ય કોલાહલેન. અકાર્ય નામ નકામો કોલાહલ એટલે એ પુણ્ય મારા છે ને દયા દાનના વિકલ્પ મારા છે એ અકાર્ય કોલાહલ છે એ કાર્ય તારું નહી, અકાર્ય કોલાહલેન. પ્રભુ એ છોડી દે તું. તારો નાથ અંદર ચેતન્ય આનંદ સ્વરૂપ બિરાજે છે. એને તું માન અને એને તું જાણ. બાકી આવા એ પરિણામ વિકા૨ને પોતાના માની અકાર્ય કોલાહલ મફતનો તું કોલાહલ કરી રહ્યો છું. વિશેષ કહેશે. ( શ્રોતાઃ– પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૧૧૭ શ્લોક - ૩૪ તા. ૨૪/૧૦/૭૮ મંગળવાર આસો વદ - ૮ હે ભવ્ય ! એમ સંબોધન કર્યું છે. તું આમ કર એમ કીધું છે ને એટલે ભવ્ય લીધું. હે ભવ્ય ! તને બીજો અકાર્ય કોલાહલેન, રાગ એ મારું કાર્ય છે, રાગ એ હું છું. એવું અકાર્ય-કોલાહલેન, છોડી દે. શુભરાગ જે છે એ પણ નકામો અકાર્ય કોલાલ, એ મા૨ો છે, એ કાર્ય તારું નથી, એ તારું સ્વરૂપ જ નથી. ( શ્રોતાઃ- સ્વરૂપ નથી એ તો બરાબર છે પણ કાર્ય કોનું છે ? ) એનું કાર્ય નથી. રાગ એ અકાર્ય છે, અકાર્ય શબ્દનો અર્થ અહીં નકામો કર્યો છે, પણ એનો અર્થ, એ કામ એનું નથી. રાગ જે છે, ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો હો કે ગુણગુણીના ભેદનો વિકલ્પ રાગ હો, એ અકાર્ય છે. એ નકામી ચીજ છે. જેને હિત ક૨વાનું હોય એની વાત છે બાપુ, બાકી તો રખડી રહ્યો છે અનંત કાળથી. અકાર્ય કોલાહલેન, કોલાહલ ક૨વાથી શો લાભ છે પ્રભુ તને.
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy