SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ સમયસાર સિદ્ધિ ભાગ-૩ કર્મનો રસ અનુભાગ એ સમૂહરૂપ વર્ગ છે વર્ગ, એના પરમાણુઓનો સમૂઠ છે, રસના પરમાણુનો સમૂહ છે તે બધોય જીવને નથી. એ છે કીધું સમૂહુરૂપ વર્ગ છે ખરો. અતિ છે પણ એ મારા જીવમાં નથી, જીવમાં નથી એ ક્યારે થયું? કે જીવનું જ્ઞાન ને અનુભવ થયો, ત્યારે એ જીવમાં નથી એમ એને નિર્ણય થયો. ધારી રાખ્યું'તું કે આત્મામાં આ નથી પણ એનો જીવમાં નથી એવો અનુભવ ન થયો. આહાહા! સમજાણું કાંઈ ? કે આ પુદ્ગલ પરમાણુ જીવમાં નથી, આ કર્મનો રસ છે એ, અવિભાગ પ્રતિચ્છેદ એ ધારી રાખ્યું'તું એ કર્મની વાતું ત્યાં સુધી એ ભિન્ન છે, એમ ભાન નહોતું એ જીવ ભગવાન આત્મા પોતાની અનુભૂતિ એનાથી તે ભિન્ન છે એમ ભાન થયું ત્યારે જીવમાં નથી એમ કહેવાયું. જીવનો અનુભવ થતાં આ તો આનંદ ને જ્ઞાન ને શાંતિનો સાગર છે, એવી અનુભૂતિ થતાં સમ્યગ્દર્શન ને અનુભવ થતાં આ વસ્તુ તો અનંત જ્ઞાનદર્શન ને આનંદનો કંદ પ્રભુ છે, તો એમાં નથી એટલે વર્તમાન મારી અનુભૂતિમાં પણ એ નથી. આહાહાહા ! કર્મનો અનુભાગ ભોગવવો પડશે એમ કહે છે ને લોકો (શ્રોતા- ફળને ભોગવવા પડે) કોણ ભોગવે સાંભળ ભાઈ એ કર્મનો અનુભાગ એ તો પુદ્ગલના પરિણામ છે, એ પુગલ સાથે અભેદ છે, જીવમાં એ નથી. એટલે? જીવ જે જાણવામાં આવ્યો, અનુભવમાં આવ્યો કે આ જીવ તો શુદ્ધ ચૈતન્ય આનંદકંદ છે, એમ જે અનુભવમાં આવ્યો તેથી તેને અનુભૂતિથી ભિન્ન છે, તે જીવમાં નથી એમ નક્કી નિર્ણય થયો. આહાહા ! સમજાણું કાંઈ ? અમારે નારાયણભાઈ હતા એ ૨૯ બોલનો ઉકરડો કહેતા, એ તો ઉકરડો છે ૨૯ બોલનો એનાથી ભિન્ન છે. આહાહા ! એ બધોય રસ છે ને કર્મના રસની શક્તિઓના અવિભાગપ્રતિચ્છેદો મૂળ શક્તિ એટલે એ સમૂહરૂપ વર્ગ છે તે બધોય જીવને નથી. આ વર્ગ નથી કહેતા એકડીયાનો વર્ગ બે નો વર્ગ ત્રણનો વર્ગ એમ આ પરમાણુના અનુભાગનો એક વર્ગ છે. એ મારી અનુભૂતિથી તે ભિન્ન છે. મારો વર્ગ છે એ તો અનંતગુણથી ભરેલો મારો વર્ગ છે એની અનુભૂતિ થતાં જીવમાં નથી એટલે એનું ભાન થયું. સમજાણું કાંઈ? ૧૫ બોલ થયા. | (સોળમો બોલ) જે વર્ગોનો સમૂહ ઘણાં વર્ગ પહેલો વર્ગ, બીજો વર્ગ કરીને સાત ચોપડીનો બધો ભેગો વર્ગ કરે છે ને સાતનો, એમ આ પરમાણુનો અનુભાગનો રસ એનો આખો સમૂહુ બધાનો બધાનો એ વર્ગણા તે બધીયે જીવને નથી. કેમકે પુગલદ્રવ્ય પરિણામમય હોવાથી અનુભૂતિથી તે ભિન્ન છે. આહાહા ! સત્તરમો. વિશેષ-મંદ તીવ્ર રસવાળા કર્મ દળોનાં મંદ અને તીવ્ર રસ છે એ કર્મ દળોના ખાસ જમાવરૂપ છે એ વર્ગણાઓના સમૂહુરૂપ સ્પર્ધકો છે, વર્ગમાં નાનો ભાગ આવ્યો, વર્ગણામાં ઘણો ભાગ આવ્યો, ને સ્પર્ધામાં બધું આવ્યું, તે બધાય જીવને નથી. એ બધી વિશેષ જાણવાની કર્મની વાત પુગલદ્રવ્યના પરિણામમય હોવાથી મારી અનુભૂતિથી ભિન્ન છે. આહાહા ! અઢાર. સ્વપરના એકપણાનો અધ્યાસ સ્વપરના એકપણાનો અધ્યવસાય એકપણાનો અધ્યાસ એટલે અભ્યાસ હોય ત્યારે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું વિશુદ્ધ ચૈતન્યપરિણામથી જુદાપણું. મારો પ્રભુ વિશુદ્ધ ચૈતન્યપરિણામમાં આવ્યો. ચૈતન્યપરિણામથી જુદાપણું, જેમનું
SR No.008307
Book TitleSamaysara Siddhi 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2005
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy