________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
અંધકાર હોતો નથી, અંધકાર હોતાં પ્રકાશ હોતો નથી, તેમ સમ્યકત્વના પરિણામ હોતાં મિથ્યાત્વપરિણમન હોતું નથી. તેથી એક કાળે એક પરિણામરૂપે જીવદ્રવ્ય પરિણમે છે, તે પરિણામનું તે કર્તા હોય છે. માટે મિથ્યાદષ્ટિ જીવ કર્મનો કર્તા, સમ્યગ્દષ્ટિ જીવ કર્મનો અકર્તા-એવો સિદ્ધાન્ત સિદ્ધ થયો. ૫૧-૯૬.
(ઇન્દ્રવજા)
ज्ञप्तिः करोतौ न हि भासतेऽन्तः ज्ञप्तौ करोतिश्च न भासतेऽन्तः। ज्ञप्ति: करोतिश्च ततो विभिन्ने ज्ञाता न कर्तेति ततः स्थितं च।। ५२-९७।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘સન્ત:'' સૂક્ષ્મ દ્રવ્યસ્વરૂપ દષ્ટિથી ““જ્ઞ: રોતી ન દિ ભાસ' (જ્ઞતિ:) જ્ઞાનગુણ અને (તેતી) મિથ્યાત્વ-રાગાદિરૂપ ચીકાશ એમનામાં (૧ દિ માસને) એકત્વપણું નથી. ભાવાર્થ આમ છે કે-સંસારઅવસ્થા( રૂપ) મિથ્યાષ્ટિ જીવને જ્ઞાનગુણ પણ છે અને રાગાદિ ચીકાશ પણ છે; કર્મબંધ થાય છે તે રાગાદિ ચીકાશથી થાય છે, જ્ઞાનગુણના પરિણમનથી થતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. તથા “જ્ઞની રોતિ: અન્ત: ન ભારતે'' (જ્ઞણી) જ્ઞાનગુણને વિષે (રોતિ:) અશુદ્ધ રાગાદિ પરિણમનનું (અન્ત: માસને) અંતરંગમાં એકત્વપણું નથી. “તત: જ્ઞ: રોતિ: ૨ નિમિત્તે'' (તત:) તે કારણથી (જ્ઞ:) જ્ઞાનગુણ અને (રોતિ:) અશુદ્ધપણું (વિમિને) ભિન્ન ભિન્ન છે, એકરૂપ તો નથી. ભાવાર્થ આમ છે કે-જ્ઞાનગુણ અને અશુદ્ધપણું, દેખતાં તો મળેલાં જેવાં દેખાય છે, પરંતુ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે. વિવરણ-જાણપણામાત્ર જ્ઞાનગુણ છે, તેમાં ગર્ભિત એ જ દેખાય છે; ચીકાશ તે રાગાદિ છે, તેથી અશુદ્ધપણું કહેવાય છે. “તત: સ્થિત જ્ઞાતા ન વર્તા'' (તત:) તે કારણથી (સ્થિતં) આવો સિદ્ધાન્ત નિષ્પન્ન થયો-(જ્ઞાતા) સમ્યગ્દષ્ટિ પુરુષ (ન વર્તા) રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા હોતો નથી. ભાવાર્થ આમ છે કે-દ્રવ્યના સ્વભાવથી જ્ઞાનગુણ કર્તા નથી, અશુદ્ધપણું કર્તા છે; પરંતુ સમ્યગ્દષ્ટિને અશુદ્ધપણું નથી, તેથી સમ્યગ્દષ્ટિ કર્તા નથી. પર-૯૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com