________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
અર્થ - જીવ વેધ (-વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ વેધ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે. ૪૩-૮૮.
(ઉપજાતિ) एकस्य भातो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ४४-८९ ।।
અર્થ:- જીવ “ભાત” (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ “ભાત' નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિસ્વરૂપ
જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિસ્વરૂપ જીવ ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરન્તર અનુભવાય છે).
ભાવાર્થ:- બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અપી, કર્તા અકર્તા, ભોક્તા અભોક્તા, જીવ અજીવ, સૂક્ષ્મ શૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દશ્ય અદશ્ય, વેધ અવેધ, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિપક્ષાપૂર્વક તત્ત્વનો-વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિસ્વરૂપ જીવનો ચિસ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિસ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિસ્વરૂપ કહ્યો છે. ૪૪-૮૯.
(વસંતતિલકા) स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम्। अन्तर्बहिः समरसैकरसस्वभावं વં ભાવમેવમુપયાત્વનુભૂતિમાત્રમ્ ! ૪૬-૧૦ના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com