________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
પ૭
વ્યાપ્ય-વ્યાપકપણે જીવદ્રવ્ય કર્તા છે તેવી જ રીતે પુદ્ગલ દ્રવ્ય પણ અશુદ્ધ ચેતનારૂપ રાગદ્વષ-મોહપરિણામનું કર્તા છે એમ તો નથી; જીવદ્રવ્ય પોતાના રાગ-દ્વેષ-મોહપરિણામનું કર્તા છે, પુદ્ગલદ્રવ્ય કર્તા નથી;] ‘‘ સ્ય કે વર્મળી ન સ્ત:'' ( ચ) એક દ્રવ્યના (વર્મળ ન સ્ત:) બે પરિણામ હોતા નથી; [ ભાવાર્થ આમ છે કે જેવી રીતે જીવદ્રવ્ય રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતના પરિણામનું વ્યાપ્ય-વ્યાપકપણે કર્તા છે તેવી રીતે જ્ઞાનાવરણાદિ અચેતન કર્મનો કર્તા જીવ છે એમ તો નથી; પોતાના પરિણામનો કર્તા છે, અચેતનપરિણામરૂપ કર્મનો કર્તા નથી;] ““ ચ દે ચેિ ન'' (૨) વળી ( ચ) એક દ્રવ્યની (કે ક્રિયે ) બે ક્રિયા હોતી નથી; [ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જેવી રીતે ચેતનપરિણતિરૂપ પરિણમે છે તેવી જ રીતે અચેતન પરિણતિરૂપ પરિણમતું હોય એમ તો નથી;] ““યત: મ મને ચાત'' (યત:) કારણ કે (4) એક દ્રવ્ય (અને ન ચા) બે દ્રવ્યરૂપ કેમ થાય? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય એક ચેતનદ્રવ્યરૂપ છે તે જો પહેલાં અનેક દ્રવ્યરૂપ થાય તો જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પણ થાય, પોતાના રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતનપરિણામનું પણ કર્તા થાય; પણ એમ તો છે નહિ. અનાદિનિધન જીવદ્રવ્ય એકરૂપ જ છે, તેથી પોતાના અશુદ્ધ ચેતનપરિણામનું કર્તા છે, અચેતનકર્મનું કર્તા નથી. આવું વસ્તુસ્વરૂપ છે. ૯-૫૪.
(શાર્દૂલવિક્રીડિત)
आसंसारत एव धावति परं कुर्वेऽहमित्युच्चकै१र्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः। तद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत् तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः।। १०-५५ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ‘‘નનુ મોદિનામ કદમ દુર્વે રૂતિ તમ: સંસારત: અવ ઘાવતિ'' (નવુ) અહો જીવ! (મોહિનામું) મિથ્યાદષ્ટિ જીવોનો (કદમ ફર્વે તિ તમ:) “જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે” એવો છે જે મિથ્યાત્વરૂપ અંધકાર તે (સંસારત: ઘાવતિ) અનાદિ કાળથી એક-સંતાનરૂપ ચાલ્યો આવ્યો છે. કેવો છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com