________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
છે, પુદગલ દ્રવ્ય પણ પોતાના અચેતન લક્ષણરૂપે-શુદ્ધ પરમાણુરૂપે અથવા જ્ઞાનાવરણાદિ કર્મપિંડરૂપે પોતાનામાં વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે છે, વસ્તુનું સ્વરૂપ એવું તો છે પરંતુ જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બંને મળીને, અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષરૂપ પરિણામ તેરૂપે પરિણમે છે. એમ તો નથી; અથવા જીવ અને પુદગલ મળીને જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મપિંડરૂપે પરિણમે છે એમ તો નથી;] ‘‘મયો: પરિપITI: ન પ્રાત'' (૩મયો:) જીવદ્રવ્ય અને પુદગલદ્રવ્ય તેમના (પરિણામ:) બંને મળીને એકપર્યાયરૂપ પરિણામ (,નાત) થતા નથી; ““૩મયો: પરિતિઃ ન ચાત'' (૩મયો:) જીવ અને પુગલની (પરિતિઃ) મળીને એક ક્રિયા (ચા) થતી નથી - વસ્તુનું સ્વરૂપ આવું જ છે; “ “યત: સનેમ અનેમ વ સલા'' (યત:) કારણ કે (અનેરુમ્) ભિન્ન સત્તારૂપ છે જીવ-પુગલ (સનેમ વ સલા ) તે તો જીવ-પુદ્ગલ સદાય ભિન્નરૂપ છે, એકરૂપ કેમ થઈ શકે? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય-પુદ્ગલદ્રવ્ય ભિન્ન સત્તારૂપ છે તે જો પહેલાં ભિન્ન સત્તાપણું છોડી એક સત્તારૂપ થાય તો પછી કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટે. તે તો એકરૂપ થતાં નથી તેથી જીવ-પુદ્ગલનું પરસ્પર કર્તા-કર્મ-ક્રિયાપણું ઘટતું નથી. ૮પ૩.
(આર્યા)
नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य। नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात्।।९-५४।।
ખંડાન્વય સહિત અર્થ:- અહીં કોઈ મતાન્તર નિરૂપશે કે દ્રવ્યની અનન્ત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે; જેવી રીતે જીવદ્રવ્ય પોતાના અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામને વ્યાપ્ય-વ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ કર્મપિંડને વ્યાપ્ય-વ્યાપકપણે કરે. ઉત્તર આમ છે કે દ્રવ્યને અનન્ત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે વ્યાપ્ય-વ્યાપકપણે છે તેવી જ રીતે પારદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાયવ્યાપકપણે થાય. ‘‘દિ કવચ ઢૌ Íરી '' (દિ) નિશ્ચયથી ( ચ) એક પરિણામના (ઢી વર્તારી ) બે દ્રવ્ય કર્તા નથી; [ ભાવાર્થ આમ છે કે અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામનું જેવી રીતે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com