________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂલવિક્રીડિત)
व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दस्तमो ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।। ४-४९ ।।
ખંડાન્વય સહિત અર્થ- ‘‘ત સ ષ ગુમાન કર્તૃત્વશૂન્ય: સિત'' (તા) તે કાળે (સ +ષ પુમાન ) જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે જ જીવ ( વર્તુત્વશૂન્ય: સિતડ) કર્મ કરવાથી રહિત થયો. કેવો છે જીવ ? “જ્ઞાનસૂય તમ: મિન્દ્રન'' (જ્ઞાનીમ્ય) અનાદિથી મિથ્યાત્વરૂપ પરિણમતાં જીવ-કર્મના એકપર્યાયસ્વરૂપ પરિણમતો હતો તે છૂટયું, શુદ્ધચેતન-અનુભવ થયો, એમ થતાં (તમ:) મિથ્યાત્વરૂપ અંધકાર (મિન્વનો છેદતો થકો. કોના વડે મિથ્યાત્વ-અંધકાર છૂટયો? “ “તિ ઉદ્દામવિવેવસ્મરમદોમારેબ'' (રૂતિ) જે કહ્યો છે, (ઉદ્દામ) બળવાન છે
એવા (વિવેવ) ભેદજ્ઞાનરૂપી (ઇસ્મરમ:મારેT) સૂર્યના તેજના સમૂહ વડે. હવે જે વિચારતાં ભેદજ્ઞાન થાય છે તે જ કહે છે-“વ્યાખ્યવ્યાપતા તાત્મિનિ ભવેત'' (વ્યાય) સમસ્ત ગુણરૂપ અને પર્યાયરૂપ ભેદ-વિકલ્પો તથા (વ્યાપવછતા) એક દ્રવ્યરૂપ વસ્તુ (તાત્મનિ) એક સત્ત્વરૂપ વસ્તુમાં (વે) હોય છે. ભાવાર્થ આમ છે કે જેમ સુવર્ણ પીળું, ભારે, ચીકણું એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે તેમ જીવદ્રવ્ય જ્ઞાતા, દષ્ટા એમ કહેવા માટે છે, પરંતુ એક સત્ત્વ છે. એ પ્રમાણે એક સત્ત્વમાં વ્યાપ્ય-વ્યાપકતા હોય છે. અર્થાત્ ભેદબુદ્ધિ કરવામાં આવે તો વ્યાય-વ્યાપકતા હોય છે. વિવરણ :-વ્યાપક અર્થાત્ દ્રવ્ય-પરિણામી પોતાના પરિણામનો કર્તા હોય છે; વ્યાપ્ય અર્થાત્ તે પરિણામ દ્રવ્ય કર્યા. જેમાં (એક સત્ત્વમાં) આવો ભેદ કરવામાં આવે તો થાય છે, ન કરવામાં આવે તો નથી થતો. ““અતીત્મનિ પિ ન થવ'' (મતલાત્મનિ) જીવસત્ત્વથી પુદ્ગલદ્રવ્યનું સત્ત્વ ભિન્ન છે, (પ) નિશ્ચયથી (વ) વ્યાપ્ય-વ્યાપકતા નથી. ભાવાર્થ આમ છે કે જેમ ઉપચારમાત્રથી દ્રવ્ય પોતાના પરિણામનો કર્યા છે, તે જ પરિણામ દ્રવ્યથી કરાયેલો છે તેમ અન્ય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com