________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
(વસંતતિલકા)
अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुद्गल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्धચૈતન્યધાતુમયમૂર્તિરયં નીવડા ૨૨-૪૪ના
ખંડાન્વય સહિત અર્થ:- “સ્મિન વિવેવનાત્રે પુદન: gવ નતિ'' (મિન) અનંત કાળથી વિદ્યમાન છે એવો જે (વિવે) જીવ-અજીવની
એકત્વબુદ્ધિરૂપ મિથ્યા સંસ્કાર તે-રૂપ છે (નીચે) ધારાસંતાનરૂપ વારંવાર વિભાવપરિણામ, તેમાં (પુ.) પુદ્ગલ અર્થાત્ અચેતન મૂર્તિમાન દ્રવ્ય (વ) નિશ્ચયથી (નcત) અનાદિ કાળથી નાચે છે, “ર ન્ય:'' ચેતનદ્રવ્ય નાચતું નથી. ભાવાર્થ આમ છે કે-ચેતનદ્રવ્ય અને અચેતનદ્રવ્ય અનાદિ છે, પોતપોતાના સ્વરૂપે છે, પરસ્પર ભિન્ન છે. આવો અનુભવ પ્રગટપણે સુગમ છે; જેને એકત્વસંસ્કારરૂપ અનુભવ છે તે અચંબો છે. એવું કેમ અનુભવે છે? કેમ કે એક ચેતનદ્રવ્ય, એક અચેતનદ્રવ્ય-એ રીતે અંતર તો ઘણું. અથવા અચંબો પણ નથી, કેમ કે અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે. જેવી રીતે ધતૂરો પીતાં દષ્ટિ વિચલિત થાય છે, શ્વેત શંખને પીળો દેખે છે, પણ વસ્તુ વિચારતાં આવી દષ્ટિ સહુજની તો નથી, દષ્ટિદોષ છે, દષ્ટિદોષને ધતૂરો ઉપાધિ પણ છે; તેવી રીતે જીવદ્રવ્ય અનાદિથી કર્મસંયોગરૂપે મળેલું જ ચાલ્યું આવે છે, મળેલું હોવાથી વિભાવરૂપ અશુદ્ધપણે પરિણમી રહ્યું છે, અશુદ્ધપણાના કારણે જ્ઞાનદષ્ટિ અશુદ્ધ છે, તે અશુદ્ધ દષ્ટિ વડે ચેતનદ્રવ્યને પુલકર્મની સાથે એકત્વસંસ્કારરૂપ અનુભવે છે–આવો સંસ્કાર તો વિદ્યમાન છે, પણ વસ્તુ સ્વરૂપ વિચારતાં આવી અશુદ્ધ દૃષ્ટિ સહજની તો નથી, અશુદ્ધ છે, દષ્ટિદોષ છે અને દષ્ટિદોષને પુગલપિંડરૂપ મિથ્યાત્વકર્મનો ઉદય ઉપાધિ પણ છે. હવે જેવી રીતે દષ્ટિદોષથી શ્વેત શંખને પીળો અનુભવે છે તો પછી દષ્ટિમાં દોષ છે, શંખ તો શ્વેત જ છે, પીળો દેખતાં શંખ તો પીળો થયો નથી; તેવી રીતે મિથ્યા દષ્ટિથી ચેતનવતુ અને અચેતનવસ્તુને એક કરીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com