________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અધિકાર
૩૩
(સ્વાગતા)
सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम्। नास्ति नास्ति मम कश्चन मोहः शुद्धचिद्धनमहोनिधिरस्मि।।३०।।
ખંડાન્વય સહિત અર્થ:- ““રુદ ૩૬ સ્વમ્ સ્વયમ વેત'' (રૂ) વિભાવપરિણામો છૂટી ગયા હોવાથી (૬) અનાદિનિધન ચિતૂપ વસ્તુ એવો હું (9) સમસ્ત ભેદબુદ્ધિથી રહિત શુદ્ધ વસ્તુમાત્ર (સ્વ) શુદ્ધ ચિતૂપમાત્ર વસ્તુને (સ્વયમ) પરોપદેશ વિના જ પોતામાં સ્વસવેદનપ્રત્યક્ષરૂપ (વેતયે) આસ્વાદું છું-(દ્રવ્યદૃષ્ટિથી ) જેવો હું છું એવો હવે (પર્યાયમાં) સ્વાદ આવે છે. કેવી છે શુદ્ધ ચિકૂપવતુ? “ “સર્વત: સ્વરસનિર્મરમાવ'' (સર્વત:) અસંખ્યાત પ્રદેશોમાં (રસ) ચૈતન્યપણાથી (નિર્મર) સંપૂર્ણ છે (ભાવ) સર્વસ્વ જેનું એવી છે. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે જૈનસિદ્ધાન્તનો વારંવાર અભ્યાસ કરવાથી દઢ પ્રતીતિ થાય છે તેનું નામ અનુભવ છે, પણ એમ નથી; મિથ્યાત્વકર્મનો રસ-પાક મટતાં મિથ્યાત્વભાવરૂપ પરિણમન મટે છે ત્યારે વસ્તુસ્વરૂપનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે તેનું નામ અનુભવ છે. વળી અનુભવશીલ જીવ જેવું અનુભવે છે તેવું કહે છે-“મમ વેશ્ચન મોદ: નાસ્તિ નાસ્તિ'' (મમ) મારે (શન) દ્રવ્યપિંડરૂપ અથવા જીવસંબંધી ભાવપરિણમનરૂપ (મોદ:) જેટલા વિભાવરૂપ અશુદ્ધ પરિણામ તે બધા (નાસ્તિ નાસ્તિ) સર્વથા નથી, નથી. હવે તે જેવો છે તેવો કહે છે- ““શુદ્ધવિદ્ધનમહાનિદરમિ'' (શુદ્ધ) સમસ્ત વિકલ્પોથી રહિત (વિ) ચૈતન્યના (ઘન) સમૂહુરૂપ (મ:) ઉધોતનો (નિધિ:) સમુદ્ર (મરિન ) હું છું. ભાવાર્થ આમ છે-કોઈ જાણશે કે બધાયનું નાસ્તિપણું થાય છે, તેથી એમ કહ્યું કે શુદ્ધ ચિતૂપમાત્ર વસ્તુ પ્રગટ છે. ૩O.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com