SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬ સમયસાર-કલશ [ ભગવાનશ્રીકુંદકુંદ (વસન્તતિલકા) आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या ज्ञानानुभूतिरियमेव किलेति बुवा। आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्पमेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात्।।१३।। ખંડાન્વય સહિત અર્થ - ‘‘આત્મા સુનિઝમ : સ્ત' (આત્મા) આત્મા અર્થાત્ ચેતન દ્રવ્ય (સુનિઝમ્પમ) અશુદ્ધ પરિણમનથી રહિત (વ:) શુદ્ધ (સ્તિ) થાય છે. કેવો છે આત્મા? “નિત્યં સમત્તાત્ મવવોઘધન:'' (નિત્ય) સદા કાળ (સત્તા ) સર્વાગ (કવવોધન:) જ્ઞાનગુણનો સમૂહ છે-જ્ઞાનકુંજ છે. શું કરીને આત્મા શુદ્ધ થાય છે? “ “લાત્મના માત્મનિ નિવેશ્ય'' (લાભના) પોતાથી (કાનિ) પોતામાં જ (નિવેશ્ય) પ્રવિષ્ટ થઈને. ભાવાર્થ આમ છે કે આત્માનુભવ પરદ્રવ્યની સહાય રહિત છે તેથી પોતામાં જ પોતાથી આત્મા શુદ્ધ થાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે આ અવસરે તો એમ કહ્યું કે આત્માનુભવ કરતાં આત્મા શુદ્ધ થાય છે અને કયાંક એમ કહ્યું છે કે જ્ઞાનગુણમાત્ર અનુભવ કરતાં આત્મા શુદ્ધ થાય છે, તો આમાં વિશેષતા શું છે? ઉત્તર આમ છે કે વિશેષતા તો કાંઈ પણ નથી. એ જ કહે છે- “ “ યા શુદ્ધનયાત્મિવા માત્માનુભૂતિ: તિ નિ યમ રવ જ્ઞાનાનુભૂતિ: રૂતિ વુલ્ફ'' (યા) જે (માત્માનુભૂતિઃ) આત્મ-અનુભૂતિ અર્થાત્ આત્મદ્રવ્યનો પ્રત્યક્ષપણે આસ્વાદ છે. કેવી છે અનુભૂતિ? (શુદ્ધનયાત્મિ1) શુદ્ધનય અર્થાત્ શુદ્ધ વસ્તુ તે જ છે. આત્મા અર્થાત્ સ્વભાવ જેનો એવી છે. ભાવાર્થ આમ છે કે નિરુપાધિપણે જીવદ્રવ્ય જેવું છે તેવો જ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે એનું નામ શુદ્ધાત્માનુભવ છે. (નિ) નિશ્ચયથી (યમ વ જ્ઞાનાનુભૂતિ:) આ જે આત્માનુભૂતિ કહી તે જ જ્ઞાનાનુભૂતિ છે (તિ વુલ્ફી) એટલીમાત્ર જાણીને. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુનો જે પ્રત્યક્ષપણે આસ્વાદ, તેને નામથી આત્માનુભવ એમ કહેવાય અથવા જ્ઞાનાનુભવ એમ કહેવાય; નામભેદ છે, વસ્તુભેદ નથી. એમ જાણવું કે આત્માનુભવ મોક્ષમાર્ગ છે. આ પ્રસંગે બીજો પણ સંશય થાય છે કે, કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy