SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ સમયસાર-કલશ [ ભગવાનશ્રી કુંદકુંદ વિભાવરૂપ છે, ઉપાધિરૂપ છે; તેથી નિજસ્વરૂપ વિચારતાં તે, જીવનું સ્વરૂપ નથી એમ કહેવાય છે. કેવું છે શુદ્ધસ્વરૂપ? “ “યત્ર અમી વસ્કૃષ્ટમાવાલય: પ્રતિક ર દિ વિઘતિ'' (ચત્ર) જે શુદ્ધાત્મસ્વરૂપમાં (મી) વિદ્યમાન (ઉદ્ધ) અશુદ્ધ રાગાદિ ભાવ, (પૃદ) પરસ્પર પિંડરૂપ એકક્ષેત્રાવગાહુ અને (માવાય:) આદિ શબ્દથી અન્યભાવ, અનિયતભાવ, વિશેષભાવ અને સંયુક્તભાવ ઇત્યાદિ જે વિભાવપરિણામો છે તે સમસ્ત ભાવો શુદ્ધસ્વરૂપમાં (પ્રતિક) શોભા (૧ દિ વિવધતિ) નથી ધારણ કરતા. નર, નારક, તિર્યંચ અને દેવપર્યાયરૂપ ભાવનું નામ અન્યભાવ છે; અસંખ્યાત પ્રદેશસંબંધી સંકોચવિસ્તારરૂપ પરિણમનનું નામ અનિયતભાવ છે; દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ભેદકથનનું નામ વિશેષભાવ છે; તથા રાગાદિ ઉપાધિ સહિતનું નામ સંયુક્તભાવ છે. ભાવાર્થ આમ છે કે બદ્ધ, પૃષ્ટ, અન્ય, અનિયત, વિશેષ અને સંયુક્ત એવા જે છ વિભાવ પરિણામો છે તે સમસ્ત, સંસાર-અવસ્થાયુક્ત જીવના છે, શુદ્ધ જીવસ્વરૂપ અનુભવતાં જીવના નથી. કેવા છે બદ્ધસ્પષ્ટ આદિ વિભાવભાવ? “ “'' પ્રગટપણે ‘‘ત્ય પિ'' ઊપજ્યા થકા વિધમાન જ છે તોપણ ““ઉપર તરન્ત:'' ઉપર ઉપર જ રહે છે. ભાવાર્થ આમ છે કે જીવનો જ્ઞાનગુણ ત્રિકાળગોચર છે તેવી રીતે રાગાદિ વિભાવભાવ જીવવસ્તુમાં ત્રિકાળગોચર નથી. જોકે સંસાર-અવસ્થામાં વિધમાન જ છે તોપણ મોક્ષઅવસ્થામાં સર્વથા નથી, તેથી એવો નિશ્ચય છે કે રાગાદિ જીવસ્વરૂપ નથી. ૧૧. (શાર્દૂલવિક્રીડિત) भूतं भान्तमभूतमेव रभसा निर्भिद्य बन्धं सुधीर्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्। आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः।।१२।। ખંડાન્વય સહિત અર્થ:- “સયન ગાત્મા વ્યm: માસ્તે'' (૧) આમ (માત્મા) ચેતનાલક્ષણ જીવ ( વ્ય$:) સ્વ-સ્વભાવરૂપ (શાસ્તે) થાય છે. કેવો થાય છે? ““નિત્યં વર્મવનસ્ક્રપવિત્ત:'' (નિત્ય) ત્રિકાળગોચર (ર્મ) અશુદ્ધપણારૂપ (વર્લફ્પર્શી) કલુષતા-કાદવથી (વિવરુન:) સર્વથા ભિન્ન થાય છે. વળી કેવો છે? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy