SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ પુદ્ગલકર્મનું (વૃતિ: ૧) કરતૂત નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે રાગાદિ અશુદ્ધ ચેતનપરિણામ એકલા પુદ્ગલકર્મના કરેલા છે. ઉત્તર આમ છે કે એમ પણ નથી; કારણ કે, “મર્વિલેસનાત'' અનુભવ એવો આવે છે કે પુદ્ગલકર્મ અચેતનદ્રવ્ય છે, રાગાદિ પરિણામ અશુદ્ધ ચેતનારૂપ છે; તેથી અચેતનદ્રવ્યના પરિણામ અચેતનરૂપ હોય છે, ચેતનરૂપ હોતા નથી. તે કારણથી રાગાદિ અશુદ્ધ પરિણામનો કર્તા સંસારી જીવ છે, ભોક્તા પણ છે. ૧૧-૨૦૩. (શાર્દૂલવિક્રીડિત) कमैव प्रवितर्य कर्तृ हतकै: क्षिप्त्वात्मनः कर्तृतां कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्च्छृतिः कोपिता। तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते।।१२-२०४।। ખંડાન્વય સહિત અર્થ:- “ “વસ્તુસ્થિતિ: સ્કૂયતે'' (વસ્તુ) જીવદ્રવ્યની (સ્થિતિ:) સ્થિતિ અર્થાત્ સ્વભાવની મર્યાદા (સૂયતે) જેવી છે તેવી કહે છે. કેવી છે? ‘‘ચકા પ્રતિવન ધ્યવિનયા'' (ચકિ૬) “જીવ કર્તા છે, અકર્તા પણ છે” એવું અનેકાન્તપણું, તેની (પ્રતિવશ્વ) સાવધાનપણે કરવામાં આવેલી સ્થાપના વડે (તબ્ધ) પ્રાપ્ત કરી છે (વિનયા) જીત જેણે, એવી છે. શા માટે કહે છે? “તેષાં વોન્ચ સંશુદ્ધ'' (તેષામ) જેઓ જીવને સર્વથા અકર્તા કહે છે એવા મિથ્યાદષ્ટિ જીવોની (વોચ સંશુદ્ધ) વિપરીત બુદ્ધિને છોડાવવા માટે જીવનું સ્વરૂપ સાધે છે. કેવો છે તે મિથ્યાદષ્ટિ જીવરાશિ? ““ઉદ્ધતમો મુદ્રિતઘિયાં'' (ઉદ્ધત) તીવ્ર ઉદયરૂપ (મોદ) મિથ્યાત્વભાવથી (મુદ્રિત) આચ્છાદિત છે (fધયાં) શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ સમ્યત્વશક્તિ જેની, એવો છે. વળી કેવો છે? “ “: માત્મા વન્વિત કર્તા તિ જૈવિ શ્રુતિ: પિતા'' (Sષ: માત્મા) ચેતના સ્વરૂપમાત્ર જીવદ્રવ્ય (થન્વિત વર્તા) કોઈ યુક્તિથી અશુદ્ધ ભાવનું કર્તા પણ છે-(રૂતિ) એ રીતે (જૈશ્વિત્ શ્રુતિ:) કેટલાક મિથ્યાષ્ટિ જીવોને આવું સાંભળવામાત્રથી (પિતા) અત્યંત ક્રોધ ઊપજે છે. કેવો ક્રોધ થાય છે? ‘‘અનિતા'' જે અતિ ગાઢો છે, અમિટ (–અટળ) છે. જેથી આવું માને છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy