________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
સમયસાર-કલશ
ભગવાનશ્રીકુંદકુંદ
સ્વરૂપમાત્ર છે. તથા કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ? “અમ્પપરમજ્ઞાનસ્વભાવે સ્થિત:'' નિશ્ચળ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે. ૨૧-૧૫૩.
(શાર્દૂલવિક્રીડિત) सम्यग्दृष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि। सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुष बोधाच्चयवन्ते न हि।। २२-१५४ ।।
ખંડાન્વય સહિત અર્થ:- “ “સચદy: gવ રૂર્વ સાદસમ તું ક્ષમત્તે'' (સમ્યEણય:) સમ્યગ્દષ્ટિ અર્થાત્ સ્વભાવગુણરૂપ પરિણમ્યો છે જે જીવરાશિ તે (વ) નિશ્ચયથી (રૂવું સાહસમ) આવું સાહસ અર્થાત્ ધીરપણું (કું) કરવાને (ક્ષમત્તે) સમર્થ હોય છે. કેવું છે સાહસ? ““પરં'' સર્વથી ઉત્કૃષ્ટ છે. કયું સાહસ? “ “યત વિષે પતતિ કપિ સની વોવાત દિ વ્યવન્ત'' (યત) જે સાહસ એવું છે કે (વષે પતંતિ
gિ) મહાન વજ પડવા છતાં પણ (મી) સમ્યગ્દષ્ટિ જીવરાશિ (લોધાત) શુદ્ધસ્વરૂપના અનુભવથી (ન દિ વ્યવન્ત) સહજ ગુણથી અલિત થતો નથી. ભાવાર્થ આમ છે કે-કોઈ અજ્ઞાની એમ માનશે કે સમ્યગ્દષ્ટિ જીવને સાતાકર્મના ઉદયે અનેક પ્રકારની ઇષ્ટ ભોગસામગ્રી હોય છે, અસાતાકર્મના ઉદયે અનેક પ્રકારની રોગ, શોક, દારિદ્ર, પરીષહ, ઉપસર્ગ ઇત્યાદિ અનિષ્ટ સામગ્રી હોય છે, તેને ભોગવતાં શુદ્ધસ્વરૂપઅનુભવથી ચૂકતો હશે. તેનું સમાધાન આમ છે કે અનુભવથી ચૂકતો નથી, જેવો અનુભવ છે તેવો જ રહે છે; વસ્તુનું એવું જ સ્વરૂપ છે. કેવું છે વજ? “ “ભયવનનૈનોmrolધ્વનિ'' (મય) વજ પડતાં તેના ત્રાસથી (વનસ્) ચલાયમાન એવો જે (ત્રનોય) સર્વ સંસારી જીવરાશિ, તેણે (મુ) છોડી દીધી છે (ધ્વનિ) પોતપોતાની ક્રિયા જેના પડવાથી, એવું છે વજ. ભાવાર્થ આમ છે કે-એવા છે ઉપસર્ગ, પરીષહ કે જે હોતાં મિથ્યાષ્ટિને જ્ઞાનની સૂધ રહેતી નથી. કેવા છે સમ્યગ્દષ્ટિ જીવ? ‘‘સ્વં નાના:'' (સ્વ) અને અર્થાત્ શુદ્ધ ચિતૂપને (નાના:) પ્રત્યક્ષપણે અનુભવે છે. કેવો છે ? “ “મવષ્યવોદવપુષ'' (વધ્ય) શાશ્વત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com