________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૧૩૯
( શાર્દૂલવિક્રીડિત)
यादृक् तागिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तुं नैष कथञ्चनापि हि परैरन्यादृशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।। १८-१५० ।।
ખંડાન્વય સહિત અર્થ- અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સમ્યગ્દષ્ટિ જીવ પરિણામથી શુદ્ધ છે તથાપિ પંચેન્દ્રિયવિષય ભોગવે છે, ત્યાં વિષયને ભોગવતાં કર્મનો બંધ છે કે નથી? સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી. “ “જ્ઞાનીન મુંá'' (જ્ઞાનિન) હે સમ્યગ્દષ્ટિ જીવ ! (મુક્ષ્મ) કર્મના ઉદયથી મળી છે જે ભોગસામગ્રી તેને ભોગવે છે તો ભોગવ, “તથાપિ તવ વધુ: નાસ્તિ'' (તથાપિ) તોપણ (તા) તને (વશ્વ:) બંધ અર્થાત્ જ્ઞાનાવરણાદિ કર્મનું આગમન (નાસ્તિ) નથી. કેવો બંધ નથી? “ “TRIBRTધનનિત:'' (૫૨) ભોગસામગ્રી, તેનું (અપરાધ) ભોગવવામાં આવવું, તેનાથી (નનિત:) ઉત્પન્ન થતો. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવને વિષયસામગ્રી ભોગવતાં બંધ નથી, નિર્જરા છે, કારણ કે સમ્યગ્દષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે; એવું જ વસ્તુનું સ્વરૂપ છે. પરિણામોની શુદ્ધતા હોતાં બાહ્ય ભોગસામગ્રી દ્વારા બંધ કરાતો નથી; એવું વસ્તુનું સ્વરૂપ છે. અહીં કોઈ આશંકા કરે છે કે-સમ્યગ્દષ્ટિ જીવ ભોગ ભોગવે છે, તો ભોગ ભોગવતાં રાગરૂપ અશુદ્ધ પરિણામ થતા હશે, ત્યાં તે રાગપરિણામ દ્વારા બંધ થતો હશે; પરંતુ એમ તો નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં, ભોગસામગ્રીને ભોગવતાં, સામગ્રી દ્વારા અશુદ્ધરૂપ કરાતું નથી. કેટલીયે ભોગસામગ્રી ભોગવો તથાપિ શુદ્ધજ્ઞાન પોતાના સ્વરૂપે-શુદ્ધ જ્ઞાનસ્વરૂપે રહે છે; વસ્તુનું એવું સહજ છે. તે કહે છે-“ “જ્ઞાન વાવના અજ્ઞાન મવેત'' (જ્ઞાન) જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવરૂપ પરિણમ્યું છે. આત્મદ્રવ્ય તે, (
વ ન પ) અનેક પ્રકારની ભોગસામગ્રીને ભોગવતાં અતીત-અનાગત-વર્તમાન કાળમાં (અજ્ઞાન) વિભાવ-અશુદ્ધરાગાદિરૂપ (ન વે) થતું નથી. કેવું છે જ્ઞાન? “ “સત્તનું વિત્'' શાશ્વત શુદ્ધત્વરૂપ જીવદ્રવ્ય પરિણમ્યું છે, માયાજાળની માફક ક્ષણવિનશ્વર નથી. હવે દષ્ટાન્ત દ્વારા વસ્તુનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com