________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૧૧૧
તવિચિત્રવિત્પનાનમ'' (પૂર્વ) સમ્યકત્વ વિના ઉત્પન્ન થયેલાં, ( વ ) મિથ્યાત્વરાગ-દ્વેષરૂપ પરિણામ વડે બાંધ્યાં હતાં જે (દ્રવ્યાચવૈ:) પુદ્ગલપિંડરૂપ મિથ્યાત્વકર્મ તથા ચારિત્રમોહકર્મ તેમના દ્વારા (કૃત) કર્યો છે (વિવિત્ર) નાના પ્રકારના (વિન્ય) રાગ-દ્વેષ-મોસ્પરિણામનો (નલિમ્ ) સમૂહ જેણે, એવો છે. ભાવાર્થ આમ છે કે-જેટલો કાળ જીવ સમ્યકત્વના ભાવરૂપ પરિણમ્યો હતો તેટલો કાળ ચારિત્રમોહકર્મ કીલિત (મંત્રથી તંભિત થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ ન હતું, જ્યારે તે જ જીવ સમ્યકત્વના ભાવથી ભ્રષ્ટ થયો થકો મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યો ત્યારે ઉત્કીલિત (-છૂટા થયેલા) સાપની માફક પોતાનું કાર્ય કરવાને સમર્થ થયું. ચારિત્રમોહકર્મનું કાર્ય જીવના અશુદ્ધ પરિણમનનું નિમિત્ત થવું તે. ભાવાર્થ આમ છે કે-જીવ મિથ્યાષ્ટિ થતાં ચારિત્રમોહનો બંધ પણ થાય છે. જ્યારે જીવ સમ્યકત્વ પામે છે ત્યારે ચારિત્રમોહના ઉદયે બંધ થાય છે, પરંતુ બંધ શક્તિહીન હોય છે તેથી બંધ કહેવાતો નથી. આ કારણથી સમ્યકત્વ હોતાં ચારિત્રમોહને કીલિત સાપના જેવો ઉપર કહ્યો છે, જ્યારે સમ્યકત્વ છૂટી જાય છે ત્યારે ઉત્કીલિત સાપના જેવો ચારિત્રમોહને કહ્યો; તે ઉપરના ભાવાર્થનો અભિપ્રાય જાણવો. ૯-૧૨૧.
(અનુષ્ટ્રપ)
इदमेवात्र तात्पर्य हेयः शुद्धनयो न हि। नास्ति बन्धस्तदत्यागात्तत्त्यागाद्बन्ध एव हि।।१०-१२२।।
ખંડાન્વય સહિત અર્થ- ‘‘સત્ર રૂમ પર તાત્પર્ય'' (સત્ર) આ સમસ્ત અધિકારમાં (રૂમ વ તાત્પર્ય ) નિશ્ચયથી આટલું જ કાર્ય છે. તે કાર્ય શું? ‘‘શુદ્ધનય: દેય: ૧ દિ'' (શુદ્ધય:) આત્માના શુદ્ધ સ્વરૂપનો અનુભવ (દેવ: દિ) સૂક્ષ્મકાળમાત્ર પણ વિચારવાયોગ્ય નથી. શા કારણે? ‘‘દિ તત્ સત્યાIIત્ વત્વ: નાસ્તિ'' (હિ) કારણ કે (તત) શુદ્ધસ્વરૂપનો અનુભવ તેના (અત્યાતિ) નહિ છૂટવાથી (વધુ: નાસ્તિ) જ્ઞાનાવરણાદિકર્મનો બંધ થતો નથી. વળી શા કારણે? ““તત ત્યાતિ વન્ય: પવ'' (તત) શુદ્ધ સ્વરૂપનો અનુભવ તેના (ત્યાII) છૂટવાથી (વન્ય: વ ) જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ છે. ભાવાર્થ પ્રગટ છે. ૧૦-૧૨૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com