SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ સમયસાર-કલશ ભગવાનશ્રીકુંદકુંદ પુગલપિંડના પ્રદેશો એક જ ક્ષેત્રે રહે છે તોપણ પરસ્પર એકદ્રવ્યરૂપ થતા નથી, પોતપોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ રહે છે; તેથી પુદગલપિંડથી જીવ ભિન્ન છે. ભાવાસવ એટલે મોહ–રાગ-દ્વેષરૂપ વિભાવ અશુદ્ધ ચેતન પરિણામ આવા પરિણામ જોકે જીવને મિથ્યાદષ્ટિ-અવસ્થામાં વિદ્યમાન જ હતા તોપણ સમ્યત્વરૂપ પરિણમતા અશુદ્ધ પરિણામ મટયા; તેથી સમ્યગ્દષ્ટિ જીવ ભાવાન્સવથી રહિત છે. આથી એવો અર્થ નીપજ્યો કે સમ્યગ્દષ્ટિ જીવ નિરાસ્રવ છે. ૩-૧૧૫. વળી સમ્યગ્દષ્ટિ જીવ જે રીતે નિરાસ્રવ છે તે કહે છે (શાર્દૂલવિક્રીડિત) सन्न्यस्यन्निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्। उच्छिन्दन् परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन् आत्मा नित्यनिराम्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।।४-११६ ।। ખંડાન્વય સહિત અર્થ:- ““માત્મા યુવા જ્ઞાની સ્થતિ તવા નિત્યનિરવ: ભવતિ'' (શાત્મા) જીવદ્રવ્ય (ચેલા) જે કાળે, (જ્ઞાની ચા) અનન્ત કાળથી વિભાવ-મિથ્યાત્વભાવરૂપ પરિણમ્યું હતું પરંતુ નિકટ સામગ્રી પામીને સહજ જ વિભાવપરિણામ છૂટી જાય છે, સ્વભાવ-સમ્યકત્વરૂપ પરિણમે છે, (એવો કોઈ જીવ હોય છે, ) (તરા) તે કાળથી માંડીને સમસ્ત આગામી કાળમાં (નિત્યનિરવ:) સર્વથા સર્વ કાળ સમ્યગ્દષ્ટિ જીવ નિરાગ્નવ અર્થાત્ આસ્રવથી રહિત (મતિ) હોય છે. ભાવાર્થ આમ છે-કોઈ સંદેહ કરશે કે સમ્યગ્દષ્ટિ આસ્રવ સહિત છે કે આસ્રવ રહિત છે? સમાધાન આમ છે કે આસવથી રહિત છે. શું કરતો થકો નિરાશ્રવ છે? ““નિનવૃદ્ધિપૂર્વ નાં સમર્થ નિશ સ્વયં સન્વેચન'' (નિન) પોતાના (વૃદ્ધિ) મનનું (પૂર્વ) આલંબન કરીને થાય છે જેટલા મોહ–રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણામ, એવા જે () પરદ્રવ્ય સાથે રંજિત પરિણામ-જે (સમ) અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે-તેને (નિ) સમ્યકત્વની ઉત્પત્તિના કાળથી માંડીને આગામી સર્વ કાળમાં (સ્વયં) સહજ જ (સન્યસ્થન) છોડતો થકો. ભાવાર્થ આમ છે કે-નાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy