________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
[ ભગવાનશ્રીકુંદકુંદ
૧૦૨
સમયસાર-કલશ
(શાલિની )
भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव । रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् एषोऽभावः सर्वभावास्रवाणाम् ।। २ - ११४ ।।
..
""
ખંડાન્વય સહિત અર્થ:- जीवस्य यः भावः ज्ञाननिर्वृत्तः एव स्यात् " (નીવT) કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી પ્રગટ થયો છે સમ્યક્ત્વગુણ જેનો એવો છે જે કોઈ જીવ, તેનો ( ચ: ભાવ:) જે કોઈ ભાવ અર્થાત્ સમ્યક્ત્વપૂર્વક શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ પરિણામ, [ આ પરિણામ કેવો હોય છે?] (જ્ઞાનનિવૃત્ત: વ સ્વાત્) શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે, તે કારણથી ‘“પુષ:'' એવો છે જે શુદ્ધ ચેતનામાત્ર પરિણામ તે, — सर्वभावास्रवाणाम् अभाव: ' (સર્વ) અસંખ્યાત લોકમાત્ર જેટલા (ભાવ) અશુદ્ધ ( ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહ આદિ જીવના વિભાવપરિણામ હોય છે-જે (આમ્રવાળાન્ જ્ઞાનાવરણાદિ પુદ્દગલકર્મના આગમનનું નિમિત્તમાત્ર છે-તેમનો (અભાવ:) મૂલોન્મૂલ વિનાશ છે. ભાવાર્થ આમ છે કે-જે કાળે શુદ્ધ ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ થાય છે તે કાળે મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જીવના વિભાવપરિણામ મટે છે, તેથી એક જ કાળ છે, સમયનું અન્તર નથી. કેવો છે શુદ્ધ ભાવ ? * ‘ રા-દ્વેષ-મોહૈ: વિના ' ' રાગાદિ પરિણામ રહિત છે, શુદ્ધ ચેતનામાત્ર ભાવ છે. વળી કેવો છે? ‘‘દ્રવ્યર્નાપ્રવૌષાત્ સર્વાન્ રુન્ધન્'' (દ્રવ્યર્મ) જ્ઞાનાવરણાદિ કર્મ-પર્યાયરૂપ પરિણમ્યો છે પુદ્દગલપિંડ, તેનો (આમ્રવ) થાય છે ધારાપ્રવાહરૂપ પ્રતિસમયે આત્મપ્રદેશોની સાથે એકક્ષેત્રાવગાહ, તેના (એષાન્) સમૂહને, [ ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિરૂપ કર્મવર્ગણા પરિણમે છે, તેના ભેદ અસંખ્યાત લોકમાત્ર છે; ]−(સર્વાન્) જેટલાં ધારારૂપ આવે છે કર્મ તે બધાંને-(રુન્ધન્) રોકતો થકો. ભાવાર્થ આમ છે કે-કોઈ એમ માનશે કે જીવનો શુદ્ધ ભાવ થતો થકો રાગાદિ અશુદ્ધ પરિણામનો નાશ કરે છે, આસ્રવ જેવો થાય છે તેવો જ થાય છે; પરંતુ એવું તો નથી. જેવું કહે છે તેવું છે-જીવ શુદ્ધ ભાવરૂપ પરિણમતાં અવશ્ય જ અશુદ્ધ ભાવ મટે છે, અશુદ્ધ ભાવ મટતાં અવશ્ય જ દ્રવ્યકર્મરૂપ આસ્રવ મટે છે; તેથી શુદ્ધ ભાવ ઉપાદેય છે, અન્ય સમસ્ત વિકલ્પ હેય છે. ૨-૧૧૪.
"
..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com