________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પુણ્ય-પાપ અધિકાર
છે : એક મિથ્યાત્વરૂપ છે, બીજું ચારિત્રમોહરૂપ છે. જીવનો વિભાવપરિણામ પણ બે પ્રકારનો છે : જીવનો એક સમ્યકત્વગુણ છે તે જ વિભાવરૂપ થઈને મિથ્યાત્વરૂપ પરિણમે છે, તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે મિથ્યાત્વરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય; જીવનો એક ચારિત્રગુણ છે તે જ વિભાવરૂપ પરિણમતો થકો વિષયકષાયલક્ષણ ચારિત્રમોહરૂપ પરિણમે છે, તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે ચારિત્રમોહરૂપ પરિણમેલો પુદ્ગલપિંડનો ઉદય. વિશેષ આમ છે કે-ઉપશમનો, ક્ષપણનો ક્રમ આવો છે: પહેલાં મિથ્યાત્વકર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે, તેના પછી ચારિત્રમોહકર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે. તેથી સમાધાન આમ છે-કોઈ આસનભવ્ય જીવને કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી મિથ્યાત્વરૂપ પુદગલપિંડ-કર્મ ઉપશમે છે અથવા ક્ષપણ થાય છે. આમ થતાં જીવ સમ્યકત્વગુણરૂપ પરિણમે છે, તે પરિણમન શુદ્ધતારૂપ છે. તે જ જીવ જ્યાં સુધીમાં ક્ષપકશ્રેણી પર ચડશે ત્યાં સુધી ચારિત્રમોહકર્મનો ઉદય છે, તે ઉદય હોતાં જીવ પણ વિષયકષાયરૂપ પરિણમે છે, તે પરિણમન રાગરૂપ છે, અશુદ્ધરૂપ છે. તેથી કોઈ કાળમાં જીવને શુદ્ધપણું-અશુદ્ધપણું એક જ સમયે ઘટે છે, વિરુદ્ધ નથી. ““ન્તુિ '' કોઈ વિશેષ છે, તે વિશેષ જેમ છે તેમ કહે છે- ‘‘મત્ર પિ'' એક જ જીવને એક જ કાળે શુદ્ધપણુંઅશુદ્ધપણું જોકે હોય છે તોપણ પોતપોતાનું કાર્ય કરે છે. “ “યત વર્ષ વીત: વન્યાય સમુન્નતિ'' (યત) જેટલી (વર્મ) દ્રવ્યરૂપ-ભાવરૂપ-અતંર્જલ્પ-બહિર્શલ્પ-સૂક્ષ્મસ્થૂળરૂપ ક્રિયા, (લવશત:) સમ્યગ્દષ્ટિ પુરુષ સર્વથા ક્રિયાથી વિરક્ત હોવા છતાં ચારિત્રમોહના ઉદયે બલાત્કારે થાય છે તે (વાય સમુસૂતિ)-જેટલી ક્રિયા છે તેટલી-જ્ઞાનાવરણાદિ કર્મબંધ કરે છે, સંવર-નિર્જરા અંશમાત્ર પણ કરતી નથી. ‘‘તત
મેં જ્ઞાન મોક્ષાય સ્થિતમ્'' (તત્વ) પૂર્વોક્ત (ઇમ્ જ્ઞાન) એક જ્ઞાન અર્થાત્ એક શુદ્ધ ચૈતન્યપ્રકાશ (મોક્ષાય સ્થિતમ) જ્ઞાનાવરણાદિ કર્મક્ષયનું નિમિત્ત છે. ભાવાર્થ આમ છે કે-એક જીવમાં શુદ્ધપણું-અશુદ્ધપણું એક જ કાળે હોય છે, પરંતુ જેટલા અંશે શુદ્ધપણું છે તેટલા અંશે કર્મ-ક્ષપણ છે, જેટલા અંશે અશુદ્ધપણું છે તેટલા અંશે કર્મબંધ થાય છે. એક જ કાળે બંને કાર્ય થાય છે. ‘‘પવ'' આમ જ છે, સંદેહ કરવો નહિ. કેવું છે શુદ્ધ જ્ઞાન? “પરમ'' સર્વોત્કૃષ્ટ છે-પૂજ્ય છે. વળી કેવું છે? “ “સ્વત: વિમુ$'' ત્રણે કાળ સમસ્ત પારદ્રવ્યોથી ભિન્ન છે. ૧૧-૧૧).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com