________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૩
नैवं, नयविभागानभिज्ञोऽसि
ववहारणओ भासदि जीवो देहो य हवदि खलु एक्को। ण दु णिच्छयस्स जीवो देहो य कदा वि एक्कट्ठो।। २७ ।।
व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः। न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः।। २७ ।।
इह खलु परस्परावगाढावस्थायामात्मशरीरयोः समावर्तितावस्थायां कनककलधौतयोरेकस्कन्धव्यवहारवव्यवहारमात्रेणैवैकत्वं, न पुनर्निश्चयतः, निश्चयतो ह्यात्मशरीरयोरुपयोगानुपयोगस्वभावयो:
कनककलधौतयोः पीतपाण्डुरत्वादिस्वभावयोरिवात्यन्तव्यतिरिक्तत्वेनैकार्थत्वानुपपत्ते: नानात्वमेवेति। एवं हि किल नयविभागः।
ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી; તું નવિભાગને જાણતો નથી. તે ન વિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છે:
જીવ-દેહ બને એક છે-વ્યવહારનયનું વચન આ; પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થના. ૨૭.
ગાથાર્થ:- [ વ્યવદારના: ] વ્યવહારનય તો [ ભાષતે] એમ કહે છે કે [ નીવ: વે: ૨] જીવ અને દેહ [ 5: 97] એક જ [ ભવતિ] છે; [ 1 ] પણ [ નિશ્ચયચ] નિશ્ચયનયનું કહેવું છે કે [ નીવ: વેદ: ૨] જીવ અને દેહ [વવા ગરિ] કદી પણ [વાર્થ:] એક પદાર્થ [૧] નથી.
ટીકાઃ- જેમ આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળી એક કરવાથી એકપિંડનો વ્યવહાર થાય છે તેમ આત્માને અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. આમ વ્યવહારમાત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી; કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો, જેમ પીળાપણું આદિ અને સફેદપણું આદિ જેમનો સ્વભાવ છે એવાં સુવર્ણ અને ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની અસિદ્ધિ છે તેથી અનેકપણું જ છે, તેવી રીતે ઉપયોગ અને અનુપયોગ જેમનો સ્વભાવ છે એવાં આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એકપદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી અનેકપણું જ છે. આવો આ પ્રગટ નયવિભાગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com