SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (૩૫નાતિ) आत्मस्वभावं परभावभिन्नमापूर्णमाद्यन्तविमुक्तमेकम्। विलीनसङ्कल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोऽभ्युदेति।। १० ।। ચૈતન્ય-ચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં [ નયશ્રી: ૧ ૩યતિ] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, [ પ્રમાનું સસ્તન પ્રતિ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [ગપિ ] અને [ નિક્ષેપવમ્ ચિત્ યાતિ, 7 વિ :] નિક્ષેપોનો સમૂહું ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [ વિમ્ પરમ્ મિલ્મ:] આથી અધિક શું કહીએ? [āતમ્ વ ન ભાતિ] દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. ભાવાર્થ:- ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ, યાદિ ભેદની તો વાત જ શી ? શુદ્ધ અનુભવ થતાં બૈત જ ભાસતું નથી, એકાકાર ચિત્માત્ર જ દેખાય છે. અહીં વિજ્ઞાનાદ્વૈતવાદી તથા વેદાંતી કહે છે કે-છેવટ પરમાર્થરૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તર-તમારા મતમાં સર્વથા અદ્વૈત માનવામાં આવે છે. જો સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે ““શુદ્ધ અનુભવમાં વૈત ભાસતું નથી' એમ કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુ સ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી, અને વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્થારૂપ છે; શુન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯. આગળ શુદ્ધનયનો ઉદય થાય છે તેની સૂચનારૂપ શ્લોક કહે છે - શ્લોકાર્થઃ- [ શુદ્ધના: કાત્મસ્વમવં પ્રવાશયન ગમ્યુવેતિ] શુદ્ધનય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? [ પરમાવમિન્ન] પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિભાવો-એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. વળી તે, [ માપૂર્ણ ] આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે-સમસ્ત લોકાલોકને જાણનાર છે-એમ પ્રગટ કરે છે; (કારણ કે જ્ઞાનમાં ભેદ કર્મસંયોગથી છે, શુદ્ધનયમાં કર્મ ગૌણ છે). વળી તે, [મારિ–સન્ત Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy