________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
પરિશિષ્ટ
૬૨૫
(માલિની) अविचलितचिदात्मन्यात्मनात्मानमात्मन्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम्। उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ताज्ज्वलतु विमलपूर्ण निःसपत्नस्वभावम्।। २७६ ।।
થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળક્તા હોવાથી જે અનેક જ્ઞયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દૃષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે), [સ્વ–ર–વિસર–પૂર્ણ છિન્ન-તત્ત્વ-ઉપસન્મ:] જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ-ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ-અનુભવનનો અભાવ થતો નથી) અને [પ્રમ–નિયમિત–ર્જિ:] અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કપ રહે છે) [gs: વિ–મોર: નયતિ] એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે (-કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે ).
(અહીં “ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે” એમ કહેવામાં જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.) ૨૭૫.
હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્યદવ પૂર્વોક્ત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છે:
શ્લોકાર્ધઃ- [ વિનિત-રિવાત્મનિ બાત્મનિ માત્માનમ્ માત્મા નવરતનિમગ્ન ધારયત્] જે અચળ-ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે (-નિરંતર) નિમગ્ન રાખે છે (અર્થાત પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી), [ ધ્વસ્ત–મોદ] જેણે મોહનો (અજ્ઞાનઅંધકારનો) નાશ કર્યો છે, [નિ:સપત્નqમાવ+] જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત્ પ્રતિપક્ષી કર્મો વિનાનો) છે, [ વિમ7–પૂર્ણ] જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી [ત કવિતમ્ મમૃતવેન્દ્ર
જ્યોતિ:] આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ (અમૃતમય ચંદ્રમાં સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા) [સમત્તાત્ વનતુ] સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો.
ભાવાર્થ-જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ (–મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. અહીં જ્ઞાનનેઆત્માને-અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત્ અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ) કહેલ છે, તે લુસોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે ‘સમૃતવન્દ્રવત્ ળ્યોતિઃ'નો સમાસ કરતાં ‘વત્' નો લોપ થઈ ‘૩૧મૃતવેન્દ્રજ્યોતિ:' થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com