SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ जह सिप्पिओ दु कम्मं कुव्वदि ण य सो दु तम्मओ होदि। तह जीवो वि य कम्मं कुव्वदि ण य तम्मओ होदि।।३४९ ।। जह सिप्पिओ दु करणेहिं कुव्वदि ण सो दु तम्मओ होदि। तह जीवो करणेहिं कुव्वदि ण य तम्मओ होदि।। ३५० ।। जह सिप्पिओ दु करणाणि गिण्हदि ण सो दु तम्मओ होदि। तह जीवो करणाणि दु गिण्हदि ण य तम्मओ होदि।। ३५१ ।। जह सिप्पि दु कम्मफलं भुजदि ण य सो दु तम्मओ होदि। तह जीवो कम्मफलं भुंजदि ण य तम्मओ होदि।। ३५२ ।। एवं ववहारस्स दु वत्तव्वं दरिसणं समासेण। सुणु णिच्छयस्स वयणं परिणामकदं तु जं होदि।। ३५३ ।। વ્યાવહારિક દૃષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં આવે છે; [નિશ્ચયે ય િવસ્તુ વિજ્યતે] નિશ્ચયથી જો વસ્તુને વિચારવામાં આવે, [ ચ ફર્મ સવા ઈમ્ રૂBતે ] તો કર્તા અને કર્મ સદા એક ગણવામાં આવે છે. ભાવાર્થ-કેવળ વ્યવહાર-દષ્ટિથી જ ભિન્ન દ્રવ્યોમાં કર્તા-કર્મપણું ગણવામાં આવે છે; નિશ્ચય-દષ્ટિથી તો એક જ દ્રવ્યમાં કર્તા-કર્મપણું ઘટે છે. ૨૧૦. હવે આ કથનને દષ્ટાંત દ્વારા ગાથામાં કહે છે: જ્યમ શિલ્પી કર્મ કરે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કર્મો કરે પણ તે નહીં તન્મય બને. ૩૪૯. જ્યમ શિલ્પી કરણ વડે કરે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરણ વડે કરે પણ તે નહીં તન્યમ બને. ૩૫૦. જ્યમ શિલ્પી કરણ ગ્રહે પરંતુ તે નહીં તન્મય બને, ત્યમ જીવ પણ કરણો ગ્રહે પણ તે નહીં તન્મય બને. ૩૫૧. શિલ્પી કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને, ત્યમ જીવ કરમફળ ભોગવે પણ તે નહીં તન્મય બને. ૩૫૨. -એ રીત મત વ્યવહારનો સંક્ષેપથી વક્તવ્ય છે; સાંભળ વચન નિશ્ચય તણું પરિણામવિષયક જેહ છે. ૩૫૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy