________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂતવિહિત) आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः। चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतैरात्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः ।। २०८ ।।
શ્લોકાર્થઃ- [માત્માને પરિશુદ્ધમ ખુમ: પરે. .] આત્માને સમસ્તપણે શુદ્ધ ઇચ્છનારા બીજા કોઈ અંધીએ- [પૃથુ:] બાલિશ જનોએ (બૌદ્ધોએ) – [ |– ઉપાધિ–વેત્તાત્ પ તત્ર વિરુ શુદ્ધિ મત્] કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને [ગતિવ્યાપ્તિ પ્ર]િ અતિવ્યાપ્તિને પામીને, [ શુદ્ધ%નુસૂત્ર રતૈ:] શુદ્ધ જાસૂત્રનયમાં રત થયા થકા [ ચૈતન્ચ ક્ષવિરું પ્રવચ] ચૈતન્યને ક્ષણિક કલ્પીને, [હો Us: માત્મા યુજ્ઞિત:] આ આત્માને છોડી દીધો; [ નિ:સૂત્રમુI–લિમિ: દરવર્] જેમ હારમોનો દોરો નહિ જોતાં કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ.
ભાવાર્થ-આત્માને સમસ્તપણે શુદ્ધ માનવાના ઇચ્છક એવા બૌદ્ધોએ વિચાર્યું કે-“આત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા આવે છે તેથી ઉપાધિ લાગી જશે; એમ કાળની ઉપાધિ લાગવાથી આત્માને મોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યામિ દોષ લાગશે.” આ દોષના ભયથી તેઓએ શુદ્ધ ઋજાસૂત્રનયનો વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર (ક્ષણિક જ-) આત્માને માન્યો અને નિત્યાનિત્યસ્વરૂપ આત્માને ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્યાનિત્યસ્વરૂપદ્રવ્યપર્યાયસ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ; માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ; પરંતુ તે આત્મા સત્યાર્થ નથી.
મોતીના હારમાં, દોરામાં અનેક મોતી પરોવેલાં હોય છે, જે માણસ તે હાર નામની વસ્તુને મોતી તેમ જ દોરા સહિત દેખતો નથી-માત્ર મોતીને જ જુએ છે, તે છૂટા છૂટા મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે; અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે જે જીવો આત્માના એક ચૈતન્યભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તનાપરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને, ઋજાસૂત્રનયનો વિષય જે વર્તમાન-સમયમાત્ર ક્ષણિકપણે તેટલો જ માત્ર આત્માને માને છે (અર્થાત જે જીવો આત્માને દ્રવ્યપર્યાયરૂપ માનતા નથી–માત્ર ક્ષણિક પર્યાયરૂપ જ માને છે), તેઓ આત્માને છોડી દે છે; અર્થાત્ તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. ૨૦૮.
હવેના કાવ્યમાં આત્માનો અનુભવ કરવાનું કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com