________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
४७८
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂતવિક્રીડિત) कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयोरज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषङ्गात्कृतिः। नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ।। २०३ ।।
તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે એ રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય-એ પરમાર્થ છે. અભેદદષ્ટિમાં તો જીવ શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે. આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતનકર્મનો કર્તા ચેતન જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્ધઃ- [વર્ષ વાર્યવાત કૃતં ન] કર્મ (અર્થાત્ ભાવકર્મ) છે તે કાર્ય છે, માટે તે અકૃત હોય નહિ અર્થાત્ કોઈએ કર્યા વિના થાય નહિ. [૨] વળી [ તત્વ નીવ-પ્રવૃત્યોકયો: કૃતિ: ન] તે (ભાવકર્મ) જીવ અને પ્રકૃતિ બન્નેની કૃતિ હોય એમ નથી, [ અજ્ઞાય: પ્રતે. –વાર્ય– –મુ–મનુષત્] કારણ કે જો તે બન્નેનું કાર્ય હોય તો જ્ઞાનરહિત (જડ) એવી પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. [ ચા: પ્રકૃતેઃ ન] વળી તે (ભાવકર્મ) એક પ્રકૃતિની કૃતિ (-એકલી પ્રકૃતિનું કાર્ય-) પણ નથી, [વિસ્તરસનાત્] કારણ કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે (અર્થાત્ પ્રકૃતિ તો અચેતન છે અને ભાવકર્મ ચેતન છે). [ તત: ] માટે [ સચ વર્તા નીવ:] તે ભાવકર્મનો કર્તા જીવ જ છે [૨] અને [ વિ–કનુI ] ચેતનને અનુસરનારું અર્થાત્ ચેતન સાથે અન્વયરૂપ (-ચેતનના પરિણામરૂપ-) એવું [ ત] તે ભાવકર્મ [નીવસ્ય વ »ર્મ ] જીવનું જ કર્મ છે, [ ] કારણ કે [પુતિ : જ્ઞાતા ન ] પુદ્ગલ તો જ્ઞાતા નથી (તેથી તે ભાવકર્મ પુદ્ગલનું કર્મ હોઈ શકે નહિ).
ભાવાર્થ-ચેતનકર્મ ચેતનને જ હોય; પુગલ જડ છે, તેને ચેતનકર્મ કેમ હોય?
૨૦૩.
- હવેની ગાથાઓમાં જેઓ ભાવકર્મનો કર્તા પણ કર્મને જ માને છે તેમને સમજાવવાને સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિ કહેશે તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com