________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
મોક્ષ અધિકાર
૪૫૩
(મન્વીન્તા) बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेतन्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम्। एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।। १९२ ।।
इति मोक्षो निष्क्रान्तः।
ભાવાર્થ-જે પુરુષ, પહેલાં સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં (આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધનો નાશ કરે છે અને નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામી, શુદ્ધ થઈ, સર્વ કર્મનો નાશ કરી, મોક્ષને પામે છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે. ૧૯૧.
હવે મોક્ષ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે પૂર્ણ જ્ઞાનના મહિમાનું (સર્વથા શુદ્ધ થયેલા આત્મદ્રવ્યના મહિમાનું) કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થઃ- [વશ્વચ્છવાત અતુતમ્ કક્ષશ્ચમ્ મોક્ષ વયત્] કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી ) મોક્ષને અનુભવતું, [ નિત્ય-ઉદ્યોત–સ્કૃતિ–સાં– અવસ્થ{] નિત્ય ઉદ્યોતવાળી (જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, [ પ્રાન્ત–શુદ્ધમ] એકાંતશુદ્ધ (-કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું ), અને [પાવર–સ્વ–૨–ભરત: ગત્યન્ત-શ્મીર–ધીરમ્] એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું [ wતત પૂર્ણ જ્ઞાનમ્] આ પૂર્ણ જ્ઞાન [ધ્વનિતમ્] જળહળી ઊઠયું (સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું ); [સ્વસ્થ બન્ને મદિન તીનમૂ ] પોતાના અચળ મહિમામાં લીન થયું.
ભાવાર્થ-કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ, અત્યંત શુદ્ધ, સમસ્ત જ્ઞયાકારોને ગૌણ કરતું, અત્યંત ગંભીર (જેનો પાર નથી એવું ) અને ધીર (આકુળતા વિનાનું) –એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિનામાં લીન થયું. ૧૯૨.
ટીકાઃ-આ રીતે મોક્ષ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો.
ભાવાર્થ-રંગભૂમિમાં મોક્ષતત્ત્વનો સ્વાંગ આવ્યો હતો. જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com