________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૪૧૧
स्याश्रयः, जीवादिपदार्थसद्भावेऽसद्भावे वा तत्सद्भावेनैव दर्शनस्य सद्भावात; शुद्ध आत्मैव चारित्रस्याश्रयः, षड्जीवनिकायसद्भावेऽसद्भावे वा तत्सद्भावेनैव चारित्रस्य सद्भावात्।
(૩૫નાતિ) रागादयो बन्धनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः। आत्मा परो वा किमु तन्निमित्तमिति प्रणुन्नाः पुनरेवमाहुः ।। १७४ ।।
जह फलिहमणी सुद्धो ण सयं परिणमदि रागमादीहिं। रंगिज्जदि अण्णेहिं दु सो रत्तादीहिं दव्वेहिं।। २७८ ।।
દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોનાં સદભાવમાં કે અસભાવમાં તેના (અર્થાત શુદ્ધ આત્માના) સદભાવથી જ દર્શનનો સદ્દભાવ છે; શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, કારણ કે છ જીવ-નિકાયના સદ્દભાવમાં કે અસભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સભાવથી જ ચારિત્રનો સભાવ છે.
ભાવાર્થ-આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, જીવાદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તથા છ કાયના જીવોની રક્ષા-એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતાં, તેથી વ્યવહારનય તો નિષેધ્ય છે; અને શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે. માટે શુદ્ધનય ઉપાદેય કહ્યો
હવે આગળના કથનની સૂચનાનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ ૨ITય: વન્દનિવનિમ્ ૩pT: ] “રાગાદિકને બંધનાં કારણ કહ્યા અને વળી [ તે શુદ્ધ–વિન્માત્ર–મ:- તિરિn:] તેમને શુદ્ધચૈતન્યમાત્ર જ્યોતિથી (અર્થાત્ આત્માથી) ભિન્ન કહ્યા; [ત-નિમિત્તમૂ ] ત્યારે તે રાગાદિકનું નિમિત્ત [ વિમું માત્મા વા પર:] આત્મા છે કે બીજાં કોઈ ?” [તિ પ્રભુના: પુન: વિમ્ નાદુ:] એવા (શિષ્યના) પ્રશ્નથી પ્રેરિત થયા થકા આચાર્યભગવાન ફરીને આમ (નીચે પ્રમાણે ) કહે છે. ૧૭૪.
ઉપરના પ્રશ્નના ઉત્તરરૂપે આચાર્યભગવાન ગાથા કહે છે -
જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે, પણ અન્ય જે ૨ક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને; ૨૭૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com