________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૩૮૫
__ सुखदु:खे हि तावज्जीवानां स्वकर्मोदयेनैव , तदभावे तयोर्भवितुमशक्यत्वात; स्वकर्म च नान्येनान्यस्य दातुं शक्यं, तस्य स्वपरिणामेनैवोपाळमाणत्वात; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य सुखदुःखे कुर्यात्। अत: सुखितदुःखितान् करोमि, सुखितदुःखितः क्रिये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम्।
| (વરસન્તતિનેT). सर्व सदैव नियतं भवति स्वकीयकर्मोदयान्मरणजीवित दुःखसौख्यम्। अज्ञानमेतदिह यत्तु परः परस्य
कुर्यात्पुमान्मरणजीवितदुःखसौख्यम्।।१६८ ।। | [ ]િ જો [ સર્વે નીવા:] સર્વ જીવો [ કર્મોવયેન] કર્મના ઉદયથી [દુ:વિતસુવિતા:] દુઃખી-સુખી [ ભવન્તિ] થાય છે, [૨] અને તેઓ [ તવ ] તને [ {] કર્મ તો [ તિ] દેતા નથી, તો (હે ભાઈ !) [ તૈ:] તેમણે [ā] તને [ સુવિત: ] સુખી [5થે છત:] કઈ રીતે કર્યો?
ટીકાઃ-પ્રથમ તો, જીવોને સુખ-દુઃખ ખરેખર પોતાના કર્મના ઉદયથી જ થાય છે, કારણ કે પોતાના કર્મના ઉદયના અભાવમાં સુખ-દુ:ખ થવાં અશક્ય છે; વળી પોતાનું કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે ( પોતાનું કર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે, માટે કોઈ પણ રીતે બીજો બીજાને સુખ-દુઃખ કરી શકે નહિ. તેથી હું પર જીવોને સુખી-દુઃખી કરું છું અને પર જીવો મને સુખી-દુઃખી કરે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે.
ભાવાર્થ-જીવનો જેવો આશય હોય તે આશય પ્રમાણે જગતમાં કાર્યો બનતાં ન હોય તો તે આશય અજ્ઞાન છે. માટે, સર્વ જીવો પોતપોતાના કર્મના ઉદયથી સુખીદુઃખી થાય છે ત્યાં એમ માનવું કે “હું પરને સુખી-દુઃખી કરું છું અને પર મને સુખીદુઃખી કરે છે , તે અજ્ઞાન છે. નિમિત્તનૈમિત્તિકભાવના આશ્રયે (કોઈને કોઈનાં) સુખદુ:ખનો કરનાર કહેવો તે વ્યવહાર છે; તે નિશ્ચયની દૃષ્ટિમાં ગૌણ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્ધઃ- [ રૂદ] આ જગતમાં [ મર—નીવિત–દુ:ઈ-સૌરથમ] જીવોને મરણ, જીવિત, દુઃખ, સુખ-[ સર્વ સવૈવ નિયતં સ્વછીય– વયાત્ ભવતિ] બધુંય સદેવ નિયમથી (-ચોક્કસ) પોતાના કર્મના ઉદયથી થાય છે; [પર: પુમાન પરસ્થ મરણનીવિત–દુ:વસૌરધ્યમ્ કુર્યાત્] “બીજો પુરુષ બીજાનાં મરણ, જીવન, દુઃખ, સુખ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com