________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
બંધ અધિકાર
399
(પૃથ્વી) तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः। अकामकृतकर्म तन्मतमकारणं ज्ञानिनां । द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च।। १६६ ।।
(વસન્તતિન1) जानाति यः स न करोति करोति यस्तु जानात्ययं न खलु तत्किल कर्मरागः। रागं त्वबोधमयमध्यवसायमाहुमिथ्यादृशः स नियतं स च बन्धहेतुः।। १६७ ।।
હવે ઉપરના ભાવાર્થમાં કહેલો આશય પ્રગટ કરવાને, કાવ્ય કહે છે
શ્લોકાર્થ:- [ તથાપિ] તથાપિ (અર્થાત લોક આદિ કારણોથી બંધ કહ્યો નથી અને રાગાદિકથી જ બંધ કહ્યો છે તોપણ) [ જ્ઞાનિનાં નિરતં વરિતુન ને પુષ્યતે] જ્ઞાનીઓને નિરર્ગલ (-મર્યાદારહિત, સ્વછંદપણે ) પ્રવર્તવું યોગ્ય નથી કહ્યું, [ સા નિરના વ્યાકૃતિ: છિન ત–માયતનમ્ વ ] કારણ કે તે નિરર્ગલ પ્રવર્તન ખરેખર બંધનું જ ઠેકાણું છે. [જ્ઞાનિનાં વળામ–કૃત–ર્મ તત્ સવારણનું મત] જ્ઞાનીઓને વાંછા વિના કર્મ (કાર્ય) હોય છે તે બંધનું કારણ કહ્યું નથી, કેમ કે [નાનાતિ વ રોતિ] જાણે પણ છે અને (કર્મને) કરે પણ છે- [મુિ ન હિ વિરુધ્યતે] એ બન્ને ક્રિયા શું વિરોધરૂપ નથી? (કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે.)
ભાવાર્થ-પહેલા કાવ્યમાં લોક આદિને બંધનાં કારણ ન કહ્યાં ત્યાં એમ ન સમજવું કે બાહ્યવ્યવહારપ્રવૃત્તિને બંધના કારણોમાં સર્વથા જ નિષેધી છે; બાહ્યવ્યવહારપ્રવૃત્તિ રાગાદિ પરિણામને-બંધના કારણને-નિમિત્તભૂત છે, તે નિમિત્તપણાનો અહીં નિષેધ ન સમજવો. જ્ઞાનીઓને અબુદ્ધિપૂર્વક-વાંછા વિના-પ્રવૃત્તિ થાય છે તેથી બંધ કહ્યો નથી, તેમને કાંઈ સ્વછંદે પ્રવર્તવાનું કહ્યું નથી; કારણ કે મર્યાદા રહિત (અંકુશ વિના) પ્રવર્તવું તે તો બંધનું જ ઠેકાણું છે. જાણવામાં અને કરવામાં તો પરસ્પર વિરોધ છે: જ્ઞાતા રહેશે તો બંધ નહિ થાય. કર્તા થશે તો અવશ્ય બંધ થશે. ૧૬૬.
“જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી; કરવું તે તો કર્મનો રાગ છે, રાગ છે તે અજ્ઞાન છે અને અજ્ઞાન છે તે બંધનું કારણ છે. આવા અર્થનું કાવ્ય હવે કહે છે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com