SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા અધિકાર (શાર્દૂનવિદ્રીડિત) एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्धं किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः । तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निरशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १६० ।। કહાનજૈનશાસ્ત્રમાળા ] ૩૫૫ તેને મરણનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૯. હવે આકસ્મિકભયનું કાવ્ય કહે છેઃ શ્લોકાર્થ:- [તંત્ સ્વત: સિદ્ધં જ્ઞાનમ્ તિ છૂં] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે, [અનાવિ] અનાદિ છે, [અનન્તમ્] અનંત છે, [સવતં] અચળ છે. [ફવં યાવત્ તાવત્ સવા વ દિ ભવેત્] તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે, [અત્ર દ્વિતીયોવય: ન] તેમાં બીજાનો ઉદય નથી. [તત્] માટે [ અત્ર સ્મિળમ્ બિશ્વન ન ભવેત્] આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈ પણ થતું નથી. [ જ્ઞાનિન: ત ્—મી: ત: ] આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય ? [ સ: સ્વયં સતતં નિશĚ: સહનં જ્ઞાનં સવા વિતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થ:- કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો?' એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે-આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ, એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી; માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય અર્થાત્ અકસ્માત ક્યાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી, તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે. આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી. પ્રશ્ન:-અવિરતસમ્યગ્દષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે? સમાધાનઃ-ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઊપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી વ્યુત થાય. વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy