________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂત્રવિદ્રોહિત) एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः। नैवान्यागतवेदनैव हि भवेत्तगीः कुतो ज्ञानिनो निरशङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५६ ।।
[સ: સ્વયે સતત શિરશ: સદનું જ્ઞાન સા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને પોતાના જ્ઞાનસ્વભાવને) સદી અનુભવે છે.
ભાવાર્થ:-“આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?' એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. “પરભવમાં મારું શું થશે?' એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડયો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧૫૫.
હવે વેદનાભયનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ નિર્મેદ્ર–વિત–વેઈ–વે–વનાત્] અભેદસ્વરૂપ વર્તતા વેધવેદકના બળથી (અર્થાત્ વેધ અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [ય ૐ સં જ્ઞાનં સ્વયે નાનૈઃ સવા વેદ્યતે] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (-જ્ઞાનીઓ વડે) સદી વેદાય છે, [N[ pT pવ હિ વેના] તે આ એક જ વેદના ( જ્ઞાનવેદન ) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે. [ જ્ઞાનિન: કન્યા ના ત–વેના 4 દિ ન વ ભવેત] જ્ઞાનીને બીજી કોઈ આવેલી (-પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી, [ ત–મી: 1:] તેથી તેને વેદનાનો ભય ક્યાંથી હોય? [સ: સ્વયં સતત નિરશં: સન્ન જ્ઞાન સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદી અનુભવે છે.
ભાવાર્થ-સુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. ૧૫૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com