SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮ સમયસાર | [ ભગવાન શ્રીકુંદકુંદ विनश्यति; तस्मिन् विनष्टे वेदको भावः किं वेदयते? यदि कांक्षमाणवेद्यभावपृष्ठभाविनमन्यं भावं वेदयते, तदा तद्भवनात्पूर्व स विनश्यति; कस्तं वेदयते ? यदि वेदकभावपृष्ठभावी भावोऽन्यस्तं वेदयते, तदा तद्भवनात्पूर्व स विनश्यति; किं स वेदयते ? इति कांक्षमाणभाववेदनानवस्था। तां च विजानन् ज्ञानी न किञ्चिदेव कांक्षति। (સ્વી તા) वेद्यवेदकविभावचलत्वाद् वेद्यते न खलु कांक्षितमेव। तेन कांक्षति न किञ्चन विद्वान सर्वतोऽप्यतिविरक्तिमुपैति।।१४७ ।। કરનારો) વેધભાવ વિનાશ પામી જાય છે; તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે? જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેધભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેધભાવને વેદે છે, તો ( ત્યાં એમ છે કે, તે બીજો વેધભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેધભાવને કોણ વેદે ? જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો ત્યાં એમ છે કે, તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેધભાવ વિણસી જાય છે; પછી તે બીજો વેદકભાવ શું વેરી? આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. ભાવાર્થ: વેદકભાવ અને વેધભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે. ત્યારે વેધભાવ હોતો નથી અને જ્યારે વેદભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેદભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે ? અને જ્યારે વેદભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેધને કોણ વેદે ? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી. અહીં પશ્ન થાય છે કે-આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે, તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે? તેનું સમાધાનઃ-વેધ-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વધભાવ ક્યાં આવે ત્યાં સુધીમાં વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં વેધભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે. હવે આ અર્થનુ કળશરૂપ કાવ્ય કહે છેશ્લોકાર્થ: વેદ્ય-વે–વિમાવ–7–ાત ]વેદ-વેદકરૂપ વિભાવભાવોનું ચળ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy