________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
उत्पन्नोदयभोगो वियोगबुद्ध्या तस्य स नित्यम।
कांक्षामनागतस्य च उदयस्य न करोति ज्ञानी।। २१५ ।।
कर्मोदयोपभोगस्तावत् अतीतः प्रत्युत्पन्नोऽनागतो वा स्यात्। तत्रातीतस्तावत् अतीतत्वादेव स न परिग्रहभावं बिभर्ति। अनागतस्तु आकांक्ष्यमाण एव परिग्रहभावं बिभृयात्। प्रत्युत्पन्नस्तु स किल रागबुद्ध्या प्रवर्तमान एव तथा स्यात्। न च प्रत्युत्पन्न: कर्मोदयोपभोगो ज्ञानिनो रागबुद्ध्या प्रवर्तमानो दृष्ट:, ज्ञानिनोऽज्ञानमयभावस्य रागबुद्धेरभावात्। वियोगबुद्ध्यैव केवलं प्रवर्तमानस्तु स किल न परिग्रह: स्यात्। तत: प्रत्युत्पन्न: कर्मोदयोपभोगो ज्ञानिनः परिग्रहो न भवेत्। अनागतस्तु स किल ज्ञानिनो नाकांक्षित एव, ज्ञानिनोऽज्ञानमयभावस्याकांक्षाया अभावात्। ततोऽनागतोऽपि कर्मोदयोपभोगो ज्ञानिनः परिग्रहो न भवेत्।
ગાથાર્થઃ- [ઉત્પન્નોવયમો T: ] જે ઉત્પન્ન (અર્થાત વર્તમાન કાળના) ઉદયનો ભોગ [ :] તે, [તસ્ય] જ્ઞાનીને [ નિત્યમ્] સદી [ વિયોવૃદ્ધચી] વિયોગબુદ્ધિએ હોય છે [૨] અને [બના૫/ચ ૩યચ] આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદયની [ જ્ઞાની] જ્ઞાની [ કાંક્ષામ] વાંછા [રોતિ] કરતો નથી.
ટીકાઃ-કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય-અતીત (ગયા કાળનો), પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો). તેમાં પ્રથમ, જે અતીત ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત વીતી ગયો હોવાને લીધે જ ) પરિગ્રહભાવને ધારતો નથી. અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને (પરિગ્રહપણાને) ધારે, અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.
પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે; અને કેવળ વિયોગબુદ્ધિએ જ (હયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (–પરિગ્રહરૂપ નથી).
જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી, કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (-પરિગ્રહરૂપ નથી).
ભાવાર્થ અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. અનાગત ઉપભોગની વાંછા નથી; કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com