________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज। णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ।। २०८ ।।
मम परिग्रहो यदि ततोऽहमजीवतां तु गच्छेयम्। ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो मम।। २०८ ।।
यदि परद्रव्यमजीवमहं परिगृह्णीयां तदावश्यमेवाजीवो ममासौ स्व: स्यात्, अहमप्यवश्यमेवाजीवस्यामुष्य स्वामी स्याम्। अजीवस्य तु यः स्वामी, स किलाजीव एव। एवमवशेनापि ममाजीवत्वमापद्येत। मम तु एको ज्ञायक एव भाव: य: स्व:, अस्यैवाहं स्वामी; ततो मा भून्ममाजीवत्वं, ज्ञातैवाहं भविष्यामि, न परद्रव्यं परिगृह्णामि।
अयं च मे निश्चयः
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮.
ગાથાર્થઃ- [ ]િ જો [ પરિચE:] પરદ્રવ્ય-પરિગ્રહ [ મમ] મારો હોય [ તત:] તો [ ગદમ્] હું [ સનીવતાં તુ] અજીવપણાને [ òયન્] પામું. [યસ્માત ] કારણ કે [ સદં] હું તો [ જ્ઞાત ga] જ્ઞાતા જ છું [ તાત] તેથી [પરિપ્રદ:] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ [મમ ન] મારો નથી.
ટીકા-જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું “સ્વ” થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.
ભાવાર્થ:નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહું પરમાર્થ માનવો તે મિથ્થાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્થાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા જ છું.
વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે” એમ હવે કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com