________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકારી
૩૨૭
को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं हवदि दव्वं । अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो।। २०७ ।।
को नाम भणेद्बुधः परद्रव्यं ममेदं भवति द्रव्यम्। आत्मानमात्मनः परिग्रहं तु नियतं विजानन्।। २०७ ।।
यतो हि ज्ञानी, यो हि यस्य स्वो भावः स तस्य स्व: स तस्य स्वामी इति खरतरतत्त्वदृष्ट्यवष्टम्भात्, आत्मानमात्मनः परिग्रहं तु नियमेन विजानाति , ततो न ममेदं स्वं, नाहमस्य स्वामी इति परद्रव्यं न परिगृह्णाति।
___ अतोऽहमपि न तत् परिगृह्णामि
પદ્રવ્ય આ મુજ દ્રવ્ય” એવું કોણ જ્ઞાની કહે અરે ! નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે ? ૨૦૭.
ગાથાર્થ:- [ માત્માનમ્ તુ] પોતાના આત્માને જ [ નિયત] નિયમથી [ કાત્મન: પરિચદં] પોતાનો પરિગ્રહ [ વિનાનન] જાણતો થકો [ વ8: નામ વુધ: ] ક્યો જ્ઞાની [ મ ] એમ કહે કે [ રૂદ્દે પરદ્રવ્યું] આ પરદ્રવ્ય [મન દ્રવ્યન] મારું દ્રવ્ય [ મવતિ] છે?
ટીકાઃ- જેનો સ્વભાવ છે તે તેનું સ્વ' છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદૃષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું “સ્વ” નથી, હું આનો સ્વામી નથી” એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી).
ભાવાર્થ-લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.
“માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું” એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે
છે:
૧. સ્વ = ધન, મિલકત માલિકીની ચીજ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com