________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૬
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
वाचामगोचरं सौख्यं भविष्यति। तत्तु तत्क्षण एव त्वमेव स्वयमेव द्रक्ष्यसि,*मा अन्यान् પ્રાક્ષ:
(૩૫નાતિ) अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेष यस्मात्। सर्वार्थसिद्धात्मतया विधत्ते ज्ञानी किमन्यस्य परिग्रहेण।। १४४ ।।
कुतो ज्ञानी परं न परिगृह्णातीति चेत्
એવું સુખ થશે; અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, *બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે ?)
ભાવાર્થ-જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃત થવું-એ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.
હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ ચશ્મત ] કારણ કે [gS:] આ (જ્ઞાની) [ સ્વયમ્ ga] પોતે જ [વિન્યાત્તિ: રેવ] અચિંત્ય શક્તિવાળો દેવ છે અને [ ચિત્માત્ર-ચિત્તામળિ: ] ચિન્માત્ર ચિંતામણિ છે (અર્થાત્ ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે), માટે [સર્વ–31ર્થ– સિદ્ધ–કાત્મતયા] જેના સર્વ અર્થ (પ્રયોજન ) સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી [જ્ઞાની ] જ્ઞાની [અન્યર્ચ પરિઝળ] અન્યના પરિગ્રહથી [ મૂિ વિષQ] કરે? (કાંઈ જ કરવાનું નથી.)
ભાવાર્થ-આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે; માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. ૧૪૪.
હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી ? તેનો ઉત્તર કહે છે:
* માં કન્યાનું પ્રાણી: (બીજાઓને ન પૂછ) નો પાઠાન્તર-HISતિપ્રક્ષી: (અતિપ્રશ્નો ન કર).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com