________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિર્જરા અધિકાર
૩૨૫
વિ
एदग्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि। एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।। २०६ ।। एतस्मिन् रतो नित्यं सन्तुष्टो भव नित्यमेतस्मिन्। एतेन भव तृप्तो भविष्यति तवोत्तमं सौख्यम्।। २०६ ।।
एतावानेव सत्य आत्मा यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्र एव नित्यमेव रतिमुपैहि। एतावत्येव सत्याशी: यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव सन्तोषमुपैहि। एतावदेव सत्यमनुभवनीयं यावदेतज्ज्ञानमिति निश्चित्य ज्ञानमात्रेणैव नित्यमेव तृप्तिमुपैहि। अथैवं तव नित्यमेवात्मरतस्य , आत्मसन्तुष्टस्य , आत्मतृप्तस्य च
કરવાનો આચાર્યદવે ઉપદેશ કર્યો છે. જ્ઞાનની “કળા” કહેવાથી એમ સૂચન થાય છે કે:
જ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ – મતિજ્ઞાનાદિરૂપ છે; જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે. ૧૪૩.
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છે:
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૂસ, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. ૨૦૬.
ગાથાર્થ:- (હે ભવ્ય પ્રાણી!) તું [yતરમન ] આમાં (-જ્ઞાનમાં) [ નિયં] નિત્ય [ રત:] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [તરિમન] આમાં [ નિત્ય] નિત્ય [ સસ્તુE: ભવ] સંતુષ્ટ થા અને [તેન] આનાથી [તૃH: ભવ] તૃપ્ત થા; (આમ કરવાથી) [ તવ ] તને [ ૩ત્તમ સૌરધ્યમ] ઉત્તમ સુખ [ ભવિષ્યતિ ] થશે.
ટીકાઃ- (હે ભવ્ય!) એટલો જ સત્ય (-પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (-પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવાયોગ્ય ) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃત એવા તને વચનથી અગોચર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com