________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૧૧
पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो। ण दु एस मज्झ भावो जागगभावो हु अहमेक्को।। १९९ ।।
पुद्गलकर्म रागस्तस्य विपाकोदयो भवति एषः। न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः।। १९९ ।।
अस्ति किल रागो नाम पुद्गलकर्म, तदुदयविपाकप्रभवोऽयं रागरूपो भावः, न पुनर्मम स्वभावः। एष टङ्कोत्कीर्णैकज्ञायकभावोऽहम्।
एवमेव च रागपदपरिवर्तनेन द्वेषमोहक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्धाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि, अनया दिशा अन्यान्यप्यूह्यानि।
एवं च सम्यग्दृष्टिः स्वं जानन् रागं मुञ्चंश्च नियमाज्ज्ञानवैराग्यसम्पन्नो भवति
પુગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહિ મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯.
ગાથાર્થઃ- [ TIT: ] રાગ [પુનિર્મ] પુદ્ગલકર્મ છે, [ત] તેનો [વિપાછો ] વિપાકરૂપ ઉદય [gs: મવતિ] આ છે, [ષ:] આ [ મમ ભાવ:] મારો ભાવ [ન તુ] નથી; [ગદમ્] હું તો [વ7] નિશ્ચયથી [વ:] એક [જ્ઞાયકમાવ:] જ્ઞાયકભાવ છું..
ટીકા -ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે
વળી આ જ પ્રમાણે “રાગ' પદ બદલીને તેની જગ્યાએ દ્રષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન અને સ્પર્શન-એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા (-કહેવાં) અને આ ઉપદેશથી બીજા પણ વિચારવાં.
- આ રીતે સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે-એમ હવેની ગાથામાં કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com