________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩O૪
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
अथ भावनिर्जरास्वरूपमावेदयति
दव्वे उवभुंजते णियमा जायदि सुहं व दुक्खं वा। तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि।। १९४ ।।
द्रव्ये उपभुज्यमाने नियमाज्जायते सुखं वा दुःखं वा। तत्सुखदुःखमुदीर्ण वेदयते अथ निर्जरां याति।।१९४ ।।
उपभुज्यमाने सति हि परद्रव्ये, तन्निमित्त: सातासात-विकल्पानतिक्रमणेन वेदनायाः सुखरूपो वा दुःखरूपो वा नियमादेव जीवस्य भाव उदेति। स तु
ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ કરે છે તેમ-ભોગોપભોગસામગ્રી વડે વિષયરૂપ ઇલાજ કરે છે; પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી તેમ સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયને કે ભોગોપભોગસામગ્રીને ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વષમોહ નથી. આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસ્રવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઇને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઇ. માટે સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છે:
વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ ના દુખ થાય છે, એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઇ જાય છે. ૧૯૪.
ગાથાર્થઃ- [ દ્રવ્ય ઉપમુખ્યમાને] વસ્તુ ભોગવવામાં આવતાં, [ સુર્વ વા દુ:વું વા] સુખ અથવા દુ:ખ [ નિયમાન્] નિયમથી [ નીયતે] ઉત્પન્ન થાય છે; [૩વીf ] ઉદય થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા [ તત્ સુરવદુ:વસ્] તે સુખદુ:ખને [ વેવ્ય] વેદે છેઅનુભવે છે, [ નથ] પછી [ નિર્જરા યાતિ] તે ( સુખદુ:ખરૂપ ભાવ) નિર્જરી જાય છે.
ટીકાઃ-પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુ:ખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા-એ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદના બે પ્રકારનું જ છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com