________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
આસ્રવ અધિકાર
૨૮૩
(મુન્દ્રાબ્રાન્તા) रागादीनां झगिति विगमात्सर्वतोऽप्यास्रवाणां नित्योद्योतं किमपि परमं वस्तु सम्पश्यतोऽन्तः। स्फारस्फारै: स्वरसविसरैः प्लावयत्सर्वभावानालोकान्तादचलमतुलं ज्ञानमुन्मग्नमेतत्।।१२४ ।।
સમુહને (અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યકિતઓને) અલ્પકાળમાં સમેટીને, [ પૂર્ણ જ્ઞાન–વન–ગોધ મ્ વત્ન શીન્ત મઠ્ઠ:] પૂર્ણ, જ્ઞાનઘનના પંજરૂપ, એક, અચળ, શાંત તેજને તેજ:પુંજને- [પશ્યત્તિ] દેખે છે અર્થાત્ અનુભવે છે.
ભાવાર્થ:-શુદ્ધનય, જ્ઞાનના સમસ્ત વિશેષોને ગૌણ કરી તથા પરનિમિત્તથી થતા સમસ્ત ભાવોને ગૌણ કરી, આત્માને શુદ્ધ, નિત્ય, અભેદરૂપ, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયસ્વરૂપ ચૈતન્યમાત્ર શુદ્ધ આત્મામાં એકાગ્રસ્થિર-થતી જાય છે. એ પ્રમાણે શુદ્ધનયનો આશ્રય કરનારા જીવો અલ્પ કાળમાં બહાર નીકળતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને સંકેલીને, શુદ્ધનયમાં (આત્માની શુદ્ધતાના અનુભવમાં) નિર્વિકલ્પપણે ઠરતાં સર્વ કર્મોથી ભિન્ન કેવળ જ્ઞાનસ્વરૂપ, અમૂર્તિક પુરુષાકાર, વીતરાગ જ્ઞાનમૂર્તિસ્વરૂપ પોતાના આત્માને દેખે છે અને શુકલધ્યાનમાં પ્રવૃત્તિ કરીને અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટાવે છે. શુદ્ધનયનું આવું માહાભ્ય છે. માટે શુદ્ધનયના આલંબન વડે જ્યાં સુધી કેવળજ્ઞાન ઊપજે નહિ ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ જીવોએ શુદ્ધનય છોડવાયોગ્ય નથી એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૧૨૩.
હવે, આગ્નવોનો સર્વથા નાશ કરવાથી જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે –
શ્લોકાર્થ:- [નિત્ય-ઉદ્યોd] જેનો ઉદ્યોત (પ્રકાશ) નિત્ય છે એવી [ હિમ્ કપિ પરમં વસ્તુ] કોઈ પરમ વસ્તુને [ સન્તઃ સમ્પશ્યત:] અંતરંગમાં દેખનારા પુરુષને, [ રવીનાં બાઝવાનાં ] રાગાદિક આગ્નવોનો [શનિતિ] શીધ્ર [ સર્વત: ] સર્વ પ્રકારે [ વિસામાન્] નાશ થવાથી, [9તત્ જ્ઞાન] આ જ્ઞાન [૩ ] પ્રગટ થયું[ wારારે.] કે જે જ્ઞાન અત્યંત અત્યંત (-અનંત અનંત) વિસ્તાર પામતા [ સ્વરસવિસરે.] નિજરસના ફેલાવથી [-સો–37] લોકના અંત સુધીના [ સર્વમાવાન] સર્વ ભાવોને [ણાવયત્] તરબોળ કરી દે છે અર્થાત્ સર્વ પદાર્થોને જાણે છે, [ ] જે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી સદાકાળ અચળ છે અર્થાત્ પ્રગટયા પછી સદા એવું ને એવું જ રહે છે–ચળતું નથી, અને [બતુi ] જે જ્ઞાન અતુલ છે અર્થાત્ જેના તુલ્ય બીજાં કોઈ નથી.
ભાવાર્થ-જે પુરુષ અંતરંગમાં ચૈતન્યમાત્ર પરમ વસ્તુને દેખે છે અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com