________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
राग द्वेषो मोहश्च आस्रवा न सन्ति सम्यग्दृष्टेः । तस्मादास्रवभावेन विना हेतवो न प्रत्यया भवन्ति ।। १७७ ।। हेतुश्चतुर्विकल्पः अष्टविकल्पस्य कारणं भणितम् ।
तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते ।। १७८ ।।
रागद्वेषमोहा न सन्ति सम्यग्दृष्टेः, सम्यग्दृष्टित्वान्यथानुपपत्तेः। तदभावे न तस्य द्रव्यप्रत्ययाः पुद्गलकर्महेतुत्वं बिभ्रति, द्रव्यप्रत्ययानां पुद्गलकर्महेतुत्वस्य रागादिहेतुत्वात्। ततो हेतुहेत्वभावे हेतुमदभावस्य प्रसिद्धत्वात् ज्ञानिनो नास्ति बन्धः ।
ગાથાર્થ:- [T: ] રાગ, [દ્વેષ: ] દ્વેષ [ હૈં મોહ: ] અને મો– [ આસ્રવાઃ ] એ આસવો [સભ્યપદછે: ] સમ્યગ્દષ્ટિને [ન સન્તિ] નથી [તસ્માત્] તેથી [ આપ્તવમાવેન વિના] આસ્રવભાવ વિના [પ્રત્યયા: ] દ્રવ્યપ્રત્યયો [હેતવ: ] કર્મબંધનાં કારણ [ન ભવન્તિ ] થતા નથી.
[ ચતુર્વિલ્પ હેતુ: ] (મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [ગવિત્વચ] આઠ પ્રકારનાં કર્મોનાં [ારાં] કા૨ણ [મગિતમ્] કહેવામાં આવ્યા છે, [] અને [તેષામ્ અપિ] તેમને પણ [રાવય: ] ( જીવના ) રાગાદિ ભાવો કારણ છે; [ તેષામ્ અમાવે] તેથી રાગાદિ ભાવોના અભાવમાં [ત્ત વધ્યન્તે] કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી.)
ટીકા:-સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહ નથી કારણ કે સમ્યગ્દષ્ટિપણાની અન્યથા અનુપપત્તિ છે ( અર્થાત્ રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણુંબની શકતું નથી ); રાગદ્વેષમોહના અભાવમાં તેને ( સમ્યગ્દષ્ટિને ) દ્રવ્યપ્રત્યયો પુદ્દગલકર્મનું ( અર્થાત્ પુદ્દગલકર્મના બંધનનું ) હેતુપણું ધારતા નથી કારણ કે દ્રવ્યપ્રત્યયોને પુદ્ગલકર્મના હેતુપણાના હેતુઓ રાગાદિક છે; માટે હેતુના હેતુના અભાવમાં હેતુમાનનો ( અર્થાત્ કારણનું જે કારણ તેના અભાવમાં કાર્યનો) અભાવ પ્રસિદ્ધ હોવાથી જ્ઞાનીને બંધ નથી.
ભાવાર્થ:-અહીં, રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું હોઈ શકે નહિ એવો અવિનાભાવી નિયમ કહ્યો ત્યાં મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ સમજવો. મિથ્યાત્વસંબંધી રાગાદિકને જ અહીં રાગાદિક ગણવામાં આવ્યા છે. સમ્યગ્દષ્ટિ થયા પછી કાંઈક ચારિત્રમોહસંબંધી રાગ રહે છે તેને અહીં ગણ્યો નથી; તે ગૌણ છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવાસવનો અર્થાત્ રાગદ્વેષમોહનો અભાવ છે. દ્રવ્યાસવોને બંધના હેતુ થવામાં હેતુભૂત એવા રાગદ્વેષમોહનો સમ્યગ્દષ્ટિને અભાવ હોવાથી દ્રવ્યાસવો બંધના હેતુ થતા નથી, અને દ્રવ્યાસવો બંધના હેતુ નહિ થતા હોવાથી સમ્યગ્દષ્ટિને-જ્ઞાનીને –બંધ થતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com