________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પુણ્ય-પાપ અધિકાર
૨૪૭
(શિરવરિજી) यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति। अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्।। १०५ ।।
अथ पुनरपि पुण्यकर्मपक्षपातिनः प्रतिबोधनायोपक्षिपति
परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति। संसारगणहेतुं पि मोक्खहेदूं अजाणंता।। १५४ ।।
परमार्थबाह्या ये ते अज्ञानेन पुण्यमिच्छन्ति। संसारगमनहेतुमपि मोक्षहेतुमजानन्तः।। १५४ ।।
ભાવાર્થ-જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઇ મોક્ષના કારણ નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભકર્મો હોવા છતાં તે બંધને પામે છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્ધઃ- [ય ત ધ્રુવમ્ અતિ જ્ઞાનાત્મા ભવનમ્ આમાતિ] જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે [૩માં શિવચ દેતુ:] તે જ મોક્ષનો હેતુ છે [ યત:] કારણ કે [તત્ સ્વયમ્ પિ શિવ: તિ] તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે; [ મત: ન્યત] તેના સિવાય જે અન્ય કાંઈ છે [વશ્વ૨] તે બંધનો હેતુ છે [યત:] કારણ કે [તત્ સ્વયમ્ પિ વ: તિ] તે પોતે પણ બંધસ્વરૂપ છે. [તત:] માટે [ જ્ઞાનાત્મત્વે ભવનમ્] જ્ઞાનસ્વરૂપ થવાનું (-જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે [ અનુભૂતિ: દિ] અનુભૂતિ કરવાનું જ [ વિદિત{] આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. ૧૦૫.
હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છે:પરમાર્થબાહ્ય જીવો અરે ! જાણે ન હેતુ મોક્ષનો,
અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪. ગાથાર્થઃ- [૨] જેઓ [ પરમાર્થવાહ્ય: ] પરમાર્થથી બાહ્ય છે [તે ] તેઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com