________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
वा सर्वामपि कर्मप्रकृतिं तत्त्वतः कुत्सितशीलां विज्ञाय तया सह रागसंसर्गों प्रतिषेधयति।
अथोभयं कर्म बन्धहेतुं प्रतिषेध्यं चागमेन साधयति
रत्तो बंधदि कम्मं मुच्चदि जीवो विरागसंपत्तो। एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज।।१५० ।।
रक्तो बध्नाति कर्म मुच्यते जीवो विरागसम्प्राप्तः।
एषो जिनोपदेशः तस्मात् कर्मसु मा रज्यस्व।। १५० ।। यः खलु रक्तोऽवश्यमेव कर्म बध्नीयात् विरक्त एव मुच्येतेत्ययमागम: स सामान्येन रक्तत्वनिमित्तत्वाच्छुभमशुभमुभयं कर्माविशेषेण बन्धहेतुं साधयति , तदुभय
(શુભ કે અશુભ) –બધીયે કર્મપ્રકૃતિને પરમાર્થે બૂરી જાણીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.
ભાવાર્થ:-હાથીને પકડવા હાથણી રાખવામાં આવે છે; હાથી કામાંધ થયો થકો તે હાથણીરૂપી કૂટણી સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી પકડાઇ જઇને પરાધીન થઇને દુઃખ ભોગવે છે, અને જો ચતુર હાથી હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી; તેવી રીતે અજ્ઞાની જીવ કર્મપ્રકૃતિને સારી સમજીને તેની સાથે રાગ તથા સંસર્ગ કરે છે તેથી બંધમાં પડી પરાધીન થઇને સંસારનાં દુઃખ ભોગવે છે, અને જો જ્ઞાની હોય તો તેની સાથે રાગ તથા સંસર્ગ કરતો નથી.
હવે, બન્ને કર્મો બંધના કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ
કરે છેઃ
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાસ મુકાય છે, -એ જિન તણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. ૧૫૦.
ગાથાર્થ- [ 9: નીવ:] રાગી જીવ [ {] કર્મ [ વન્નતિ] બાંધે છે અને [ વિરા/સમ્રાક્ષ:] વૈરાગ્યને પામેલો જીવ [મુચ્યતે] કર્મથી છૂટે છે- [ps:] આ [ fનનોપવેશ: ] જિનભગવાનનો ઉપદેશ છે; [તસ્મા ] માટે (હે ભવ્ય જીવ!) તું [ કર્મસુ] કર્મોમાં [મા થરવ] પ્રીતિ-રાગ ન કર.
ટીકા:-“રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે” એવું જે આ આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધના કારણ તરીકે સિદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com