________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
तथैव च मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाश्चैतन्यविकारमात्रेण जीवेन भाव्यमाना जीव एव ।
काविह जीवाजीवाविति चेत्
पोग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमज्जीवं । उवओगो अण्णाणं अविरदि मिच्छं च जीवो पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः । उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु ।। ८८ ।।
ુ।।૮૮ ।।
મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તેઓ જીવ જ છે.
ભાવાર્થ:-પુદ્દગલના પરમાણુઓ પૌદ્ગલિક મિથ્યાત્વાદિ કર્મરૂપે પરિણમે છે. તે કર્મનો વિપાક (ઉદય) થતાં તેમાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે; અને કર્મના નિમિત્તથી જીવ વિભાવરૂપ પરિણમે છે તે વિભાવ પરિણામો ચેતનના વિકાર છે તેથી તેઓ જીવ છે.
અહીં એમ જાણવું કે:-મિથ્યાત્વાદિ કર્મની પ્રકૃતિઓ છે તે પુદ્દગલદ્રવ્યના પરમાણુ છે. જીવ ઉપયોગસ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે.
હવે પૂછે છે કે મિથ્યાત્વાદિકને જીવ અને અજીવ કહ્યા તે જીવ મિથ્યાત્વાદિ અને અજીવ મિથ્યાત્વાદિ કોણ છે? તેનો ઉત્તર કહે છે:
મિથ્યાત્વ ને અજ્ઞાન આદિ અજીવ, પુદ્ગલકર્મ છે;
અજ્ઞાન ને અવિ૨મણ વળી મિથ્યાત્વ જીવ, ઉપયોગ છે. ૮૮.
ગાથાર્થ:- [ મિથ્યાત્વ] જે મિથ્યાત્વ, [યોગ: ] યોગ, [ અવિરતિ: ] અવિરતિ
અને [ ઞજ્ઞાનમ્ ] અજ્ઞાન [ ત્રીવ: ] અજીવ છે તે તો [પુન્નનર્મ] પુદ્દગલકર્મ છે; [ 7 ] અને જે [ અજ્ઞાનમ્ ] અજ્ઞાન, [અવિરતિ: ] અવિરતિ અને [ મિથ્યાત્વ] મિથ્યાત્વ [ નીવ: ] જીવ છે [ તુ ] તે તો [ ૩પયોગ: ] ઉપયોગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com