________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કર્તા-કર્મ અધિકાર
मिच्छत्तं पुणं दुविहं जीवमजीवं तहेव अण्णाणं । अविरदि जोगो मोहो कोहादीया इमे भावा ।। ८७ ।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मिथ्यात्वं * पुनर्द्विविधं जीवोऽजीवस्तथैवाज्ञानम्। अविरतिर्योगो मोहः क्रोधाद्या इमे भावाः ।। ८७ ।।
मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो
हि भावाः ते तु प्रत्येकं भाव्यमानत्वाज्जीवाजीवौ । तथाहि-यथा
मयूरमुकुरन्दवज्जीवाजीवाभ्यां नीलहरितपीतादयो भावाः स्वद्रव्यस्वभावत्वेन मयूरेण भाव्यमाना: मयूर एव, यथा च नीलहरितपीतादयो भावाः स्वच्छताविकारमात्रेण मुकुरन्देन भाव्यमाना मुकुरन्द एव; तथा मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाः स्वद्रव्यस्वभावत्वेनाजीवेन भाव्यमाना अजीव एव,
મિથ્યાત્વ જીવ અજીવ દ્વિવિધ, એમ વળી અજ્ઞાન ને અવિરમણ, યોગો, મોહ ને ક્રોધાદિ ઉભય પ્રકા૨ છે. ૮૭.
૧૬૧
ગાથાર્થ:- [ પુન: ] વળી, [ મિથ્યાત્વ ] જે મિથ્યાત્વ કહ્યું તે [દ્વિવિધ] બે પ્રકારે છે- [ નીવ: અનીવ: ] એક જીવમિથ્યાત્વ અને એક અજીવમિથ્યાત્વ; [ તથા વ] અને એવી જ રીતે [ અજ્ઞાનમ્ ] અજ્ઞાન, [ અવિરતિ: ] અવિરતિ, [ યોગ: ] યોગ, [ મોહ: ] મોહ અને [ોધાઘા: ] ક્રોધાદિ કષાયો- [મે ભાવા: ] આ (સર્વ) ભાવો જીવ અને અજીવના ભેદથી બબ્બે પ્રકારે છે.
ટીકાઃ-મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેક, મયૂર અને દર્પણની જેમ, અજીવ અને જીવ વડે ભાવવામાં આવતા હોવાથી અજીવ પણ છે અને જીવ પણ છે. તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ–જેમ ઘેરો વાદળી, લીલો, પીળો આદિ (વર્ણરૂપ ) ભાવો કે જેઓ મો૨ના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે (−બનાવાય છે, થાય છે) તેઓ મો૨ જ છે અને (દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતા ) ઘેરો વાદળી, લીલો, પીળો ઇત્યાદિ ભાવો કે જેઓ (દર્પણની ) સ્વચ્છતાના વિકારમાત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે તેઓ દર્પણ જ છે; તેવી જ રીતે મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઇત્યાદિ ભાવો કે જેઓ અજીવના પોતાના દ્રવ્યસ્વભાવથી અજીવ વડે ભાવવામાં આવે છે તેઓ અજીવ જ છે અને
* ૮૬ મી ગાથામાં દ્વિક્રિયાવાદીને મિથ્યાદષ્ટિ કહ્યા હતા તેની સાથે સંબંધ કરવાને અહીં ‘પુન: ’ શબ્દ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com