SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] કર્તા-કર્મ અધિકાર ૧૪૯ व्याप्यलक्षणं स्वभावं कर्म स्वयमन्तर्व्यापकं भूत्वादिमध्यान्तेषु व्याप्य तमेव गृह्णाति तथैव परिणमति तथैवोत्पद्यते च; ततः प्राप्यं विकार्य निर्वयं च व्याप्यलक्षणं परद्रव्यपरिणाम कर्माकुर्वाणस्य जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य जीवेन सह न कर्तृकर्मभावः। (wધરી) ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन् व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात्। अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत् विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः।। ५० ।। (કર્તાનું કાર્ય), તેનામાં (તે પુદ્ગલદ્રવ્ય) પોતે અંતર્થાપક થઈને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે-રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે; માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામ સ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી. ભાવાર્થ:-કોઈ એમ જાણે કે પુદ્ગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી. પુદ્ગલ દ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી. પરિણાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી. પરમાર્થે કોઇ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ જ્ઞાની] જ્ઞાની તો [૩માં સ્વપ૨પરિણતિં] પોતાની અને પરની પરિણતિને [નાનનું ]િ જાણતો પ્રવર્તે છે [૨] અને [પુનિ. કપિ સનાનન] પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; [નિત્યમ્ અત્યન્તમેવાત ] આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી (બન્ને ભિન્ન દ્રવ્યો હોવાથી), [ સન્ત:] તે બન્ને પરસ્પર અંતરંગમાં [વ્યાતૃવ્યાખ્યત્વમ] વ્યાપ્યવ્યાપકભાવને [ યિતનું સદો] પામવા અસમર્થ છે. [ ગયો. કૂંવર્નમ્રમમતિઃ] જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ [અજ્ઞાનાત્] અજ્ઞાનને લીધે [તાવ માતિ] ત્યાં સુધી ભાસે છે (–થાય છે) કે [પાવત્ ] જ્યાં સુધી [વિજ્ઞાનાવિં: ] ( ભેદજ્ઞાન કરનારી ) વિજ્ઞાનજ્યોતિ [ત્ર વત્ અવયં ] કરવતની જેમ નિર્દય રીતે (ઉગ્ર રીતે) [ સદ્ય: મે ઉત્પાદ] જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને [૨ વાસ્તિ] પ્રકાશિત થતી નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy