________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
जीवपरिणाम स्वपरिणाम स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य सह जीवेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत्
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। पोग्गलदव्वं पि तहा परिणमदि सएहिं भावेहिं।। ७९ ।।
नापि परिणमति न गृह्मात्यत्पद्यते न परद्रव्यपर्याये।
पुद्गलद्रव्यमपि तथा परिणमति स्वकैर्भावैः।। ७९ ।। ___ यतो जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाप्यजानत्पुद्गलद्रव्यं स्वयमन्तर्व्यापकं भूत्वा परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च , किन्तु प्राप्यं विकार्यं निवृर्त्य च
ભાવાર્થ:-૭૬ મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની” એમ હતું તેને બદલે અહીં “પુદ્ગલકર્મના ફળને જાણતો જ્ઞાની” એમ કહ્યું છે એટલું વિશેષ છે.
હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ (કર્તાકર્મપણું) છે કે નથી ? તેનો ઉત્તર કહે છે:
એ રીત પુદ્ગલદ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, પદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૯.
ગાથાર્થઃ- [ તથા] એવી રીતે [પુતદ્રવ્યમ્ uિ] પુદ્ગલદ્રવ્ય પણ [પદ્રવ્યપર્યાય] પરદ્રવ્યના પર્યાયરૂપ [ પ પરિણમતિ] પરિણમતું નથી, [ ગૃતિ] તેને ગ્રહણ કરતું નથી અને [ ઉત્પઘતે] તે રૂપે ઊપજતું નથી, કારણ કે તે [સ્વ: ભાવૈ.] પોતાના જ ભાવોથી (-ભાવરૂપ) [ પરિમિતિ] પરિણમે છે.
ટીકાઃ-જેમ માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી અને તે-રૂપે ઊપજતું નથી, પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com