________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વાંગ समयस्यैवमेव स्थितत्वात्। इतीत्थं ज्ञेयभावविवेको भूतः।
(માલિની) इति सति सह सर्वैरन्यभावैर्विवेके स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्। प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तै:
कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः।। ३१ ।। अथैवं दर्शनज्ञानचारित्रपरिणतस्यास्यात्मनः कीदृक् स्वरूपसञ्चेतनं भवतीत्यावेदयन्नुपसंहरति
अहमेक्को खलु सुद्धो दसणणाणमइओ सदारूवी। ण वि अस्थि मज्झ किंचि वि अण्णं परमाणुमेत्तं पि।।३८ ।।
સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે; (પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી). આ પ્રકારે શેયભાવોથી ભેદજ્ઞાન થયું.
અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ તિ] આમ પૂર્વોક્ત પ્રકારે ભાવકભાવ અને શેયભાવોથી ભેદજ્ઞાન થતાં [ સર્વે: ઉન્ચમાર્વે: સદ વિવેહે સતિ] સર્વ અન્યભાવોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે [ માં ઉપયોT:] આ ઉપયોગ છે તે [સ્વયં] પોતે જ [ આત્મનિમ] પોતાના એક આત્માને જ [ વિખ્રત્] ધારતો, [પ્રતિપરમાર્થે જ્ઞાનવૃતૈ:
તપરિતિઃ] જેમનો પરમાર્થ પ્રગટ થયો છે એવાં દર્શનજ્ઞાનચારિત્રથી જેણે પરિણતિ કરી છે એવો, [ષાત્મ—ગારીને કવ પ્રવૃત્ત:] પોતાના આત્મારૂપી બાગ (ક્રીડાવન) માં જ પ્રવૃત્તિ કરે છે, અન્ય જગ્યાએ જતો નથી.
ભાવાર્થ-સર્વ પરદ્રવ્યોથી તથા તેમનાથી ઉત્પન્ન થયેલા ભાવોથી જ્યારે ભેદ જાણ્યો ત્યારે ઉપયોગને રમવાને માટે પોતાનો આત્મા જ રહ્યો, અન્ય ઠેકાણું ન રહ્યું. આ રીતે દર્શનજ્ઞાનચારિત્ર સાથે એકરૂપ થયેલો તે આત્મામાં જ રમણ કરે છે એમ જાણવું.
૩૧
હવે, એ રીતે દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ પરિણત થયેલા આ આત્માને સ્વરૂપનું સંચેતન કેવું હોય છે એમ કહેતાં આચાર્ય આ કથનને સંકોચે છે, સમેટે છે:
હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઇ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે ! ૩૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com