________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર,
[ ભગવાન શ્રીકુંદકુંદनास्ति मम धर्मादिर्बुध्यते उपयोग एवाहमेकः।
तं धर्मनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति।। ३७ ।। अमूनि हि धर्माधर्माकाशकालपुद्गलजीवान्तराणि स्वरसविजृम्भितानिवारितप्रसरविश्वघस्मरप्रचण्डचिन्मात्रशक्तिकवलिततयात्यन्तमन्तर्मग्नानीवात्मनि प्रकाशमानानिटकोत्कीर्णैकज्ञायकस्वभावत्वेन तत्त्वतोऽन्तस्तत्त्वस्य तदतिरिक्तस्वभावतया तत्त्वतो बहिस्तत्त्वरूपतां परित्यक्तुमशक्यत्वान्न नाम मम सन्ति। किञ्चैतत्स्वयमेव च नित्यमेवोपयुक्तस्तत्त्वत एवैकमनाकुलमात्मानं कलयन् भगवानात्मैवावबुध्यते
यत्किलाहं खल्वेक:
ततः संवेद्यसंवेदकभावमात्रोपजातेतरेतरसंवलनेऽपि परिस्फुटस्वदमान-स्वाभावभेदतया धर्माधर्माकाशकालपुद्गलजीवान्तराणि प्रति निर्ममत्वोऽस्मि, सर्वदैवात्मैकत्वगतत्वेन
* ગાથાર્થ- [ gધ્યતે] એમ જાણે કે [ ધર્મા]િ આ ધર્મ આદિ દ્રવ્યો [મમાં નાસ્તિ] મારાં કાંઈ પણ લાગતાવળગતાં નથી, [gવ: ઉપયો: 94] એક ઉપયોગ છે તે જ [ ગમ્] હું છું – [i] એવું જે જાણવું તેને [સમયસ્ય વિજ્ઞાયT:] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા [ ધર્મનિર્મમવં] ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ [ઘુવન્તિ] કહે છે.
ટીકા-પોતાના નિજરસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે તથા સમસ્ત પદાર્થોને પ્રસવાનો (ગળી જવાનો) જેનો સ્વભાવ છે એવી પ્રચંડ ચિન્માત્રશક્તિ વડે ગ્રામીભૂત કરવામાં આવ્યાં હોવાથી, જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યાં હોય-જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યાં હોય એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે એવાં આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, અન્ય જીવ-એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી; કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગતત્ત્વ તો હું છું અને તે પદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે (કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતા નથી.) વળી અહીં સ્વયમેવ, (ચૈતન્યમાં) નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક, અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું માટે,
યજ્ઞાયકભાવમાત્રથી ઊપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું (મિલન) હોવા છતાં પણ, પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી
* આ ગાથાનો અર્થ આમ પણ થાય છે. ધર્મ આદિ દ્રવ્યો મારાં નથી, હું એક છું” એવું ઉપયોગ જ જાણે, તે ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com